________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
કરનાર બન્ને મુમુક્ષુઓને ખૂબ ખૂબ ધન્યવાદ તેમજ તેમની દેવગુરુશાસ્ત્ર પ્રત્યેની અર્પણતાને
સંસ્થા બિરદાવે છે.
પુસ્તક પ્રકાશનના સહાયક દાતાઓ:
પૂ. કહાનલાલના નિયમસાર શુદ્ધભાવ અધિકાર ઉ૫૨ના પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત થવામાં રાજકોટ નિવાસી સ્વ. ડો. નવરંગભાઈ મોદીના આત્મોન્નતિના શ્રેયાર્થે રૂ. ૫૧૦૦૦/- તેમના ધર્મપત્નિ શ્રી શારદાબેન મોદી અને તેમના કુટુંબીજનો તરફથી આવેલા છે.
તેમજ મુંબઈ નિવાસી સ્વ. રજનીકાન્તભાઈ કોઠારીના કલ્યાણકા૨ી માર્ગના શ્રેયાર્થે રૂ. ૫૧૦૦૦/- તેમના ધર્મપત્નિ ભારતીબેન કોઠારી તેમજ તેમના કુટુંબીજનો તરફથી “શુદ્ધ અંત:તત્ત્વ ” પ્રકાશન ખાતે દાનરાશિ પ્રાપ્ત થયેલી છે. ઉપરોક્ત સર્વે આત્માર્થીજનો પ્રત્યે સંસ્થા ખૂબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
મુદ્રકઃ- આ પુસ્તકનું સુંદર રીતે લેસર ટાઈપીંગ કરી આપવા બદલ ઈન્ફોસોફટ સર્વિસીઝનાં સંચાલક દેવાંગભાઈ તેમજ નિલેષભાઈ વારીઆનો સંસ્થા આભાર માને છે. ડોટએડનાં સંચાલક કમલેશભાઈ તેમજ રાજેશભાઈ દ્વારા પુસ્તકનું ફ્રન્ટ પેઈજ, કલર પેઈજ વિગેરે સુંદર બનાવી આપવા બદલ તેમજ ચંદ્રકાન્તભાઈ મહેતાનો આ પુસ્તક છાપવામાં સહકાર મળવા બદલ સંસ્થા આભારી છે.
આવકાર્ય:- અમારા દિગમ્બર કુંદામૃત સ્વાધ્યાય હોલનું આ છઠ્ઠું પુષ્પ છે. અધ્યાત્મરસના પ્યાલા ભરી ભરીને તૃષાવંત જીવોને અમૃતપાન કરાવી તૃપ્ત કરાવ્યા છે. આ પુસ્તક
પ્રકાશનમાં અજાણતા કોઈ પણ પ્રકારે ક્ષતિ રહી જવા પામી હોય તો તે માટે અમો ક્ષમા પ્રાર્થીએ છીએ. સાથે-સાથે યોગ્ય માર્ગદર્શનની અપેક્ષા પણ રાખીએ છીએ.. જેથી અમારા પ્રકાશનને તીવ્ર વેગ મળે.
સત્ પુરુષોનો પ્રત્યક્ષ યોગ દુર્લભ છે. પરંતુ તેમનો અક્ષરદેહ પુસ્તકરૂપે પ્રકાશિત થાય તો વર્તમાન અને ભાવિ મુમુક્ષુઓને સારભૂત શુદ્ધાત્મ તત્ત્વનો સ્વાધ્યાય થાય અને શુદ્ધાત્મમય જીવન બને તે જ આ સંસ્થાનું ધ્યેય છે. ૫૨મ પવિત્ર શુદ્ધાત્મ તત્ત્વનો અમોઘ મહામંત્ર આપનાર કહાનલાલના ચરણોમાં કોટી કોટી વંદના.
શ્રી દિગમ્બર જૈન કુંદકુંદ કહાનામૃત પ્રભાવના મંદિર ટ્રસ્ટ “ સ્વીટ હોમ ”–જાગનાથ શેરી નં-૬ સામે, જીમખાના રોડ-રાજકોટ.
Please inform us of any errors on rajesh.shah@fofalise.co.uk