SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંતઃતત્ત્વ ૧૫ શું કહ્યું ? ફરીને... ઝીણી વાત છે. ‘ એવા આત્માને ’ એમ પાઠમાં શબ્દ છે તેનો વિસ્તાર કર્યો. ‘ એવા આત્માને ' એટલે સાધક અંતરાત્માને આત્માશ્રિત જે પરિણામ પ્રગટ થયા છે તેને ઉપચારથી આત્મા કહેવામાં આવે છે. હવે ઉપચારથી જેને આત્મા કહ્યો છે તેને અણઉપચાર આત્મા ઉપાદેય રહેલો છે. વ્યવહારનયનો વિષય જે છે તેને નિશ્ચયનયનો વિષય ઉપાદેય છે. પરિણામ ને અપરિણામી ઉપાદેય છે. સક્રિયને નિષ્ક્રિય ઉપાદેય છે. ભેદને અભેદ ઉપાદેય છે. અનિત્યને નિત્ય ઉપાદેય છે. ખંડજ્ઞાનને અખંડજ્ઞાન ઉપાદેય છે. ‘ એવા આત્માને ’ એમ કહ્યું ને ! આ ત્રિકાળી આત્મા નથી. આત્મા આશ્રિત ધર્મધ્યાનના જે પરિણામ પ્રગટ થયા તેને ઉપચારથી આત્મા કહે છે. અથવા ધર્મધ્યાન પરિણત આત્માને અભેદ વિવિક્ષાએ આત્મા કહ્યો તેવા આત્માને ત્રિકાળી આત્મા ઉપાદેય છે. ' “ઔયિક આદિ ચાર ભાવાંતરોને અગોચર હોવાથી જે (કા૨ણ ૫રમાત્મા )દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મરૂપ ઉપાધિથી જનિત વિભાવગુણ પર્યાયો વિનાનો છે.” ઉપર કહ્યું કે-આત્મા આત્માને ઉપાદેય છે. હવે કહે છે તે આત્માનું સ્વરૂપ શું છે ? ઉપાદેય આત્માનું સ્વરૂપ કેવું છે? જે ગ્રાહ્ય છે એટલે ગ્રહણ કરવા યોગ્ય છે, આશ્રય કરવા યોગ્ય છે તેનો વિસ્તાર કરે છે. નીચે ફૂટનોટમાં છે-ભાવાંતો-અન્ય ભાવો. (ઔયિક, ઔપશમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક-એ ચા૨ ભાવો ૫૨મપાણિામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. ૫૨મપારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે તેમને ભાવાંતરો કહ્યા છે. પરમપારિણામિક ભાવ જેનો સ્વભાવ છે એવો કા૨ણ પરમાત્મા આ ચાર ભાવાંતોને અગોચર છે.) ભાવાંતરો એટલે તે અનેરાભાવો છે, મારા ભાવો નથી. ઔદિયક, ઔપમિક, ક્ષાયોપશમિક અને ક્ષાયિક એ ચાર ભાવો પરમપારિણામિક ભાવથી અન્ય હોવાને લીધે, તે અન્ય થવાને લીધે તેમ નહીં. પરમપારિણામિક ભાવથી તે ભાવો અનાદિઅનંત કાળથી અન્યરૂપે રહેલાં છે, તે અનન્યરૂપે થયેલા નથી. આમાં જે લખ્યું છે તેનો અર્થ ચાલે છે. “૫૨મપારિણામિકભાવથી તે ભાવો અન્ય હોવાને લીધે, ” આ ચારેય ભાવો ભગવાન આત્માથી ત્રણેયકાળ અન્ય હોવાને કા૨ણે તેને ભાવાંતરો કહ્યા છે. ભાવાંતરો એટલે અનેરાભાવો છે. મારા ભાવથી એ ભાવો અનેરાપણે દેખાય છે. એ ચાર ભાવો મારા ભાવો છે તેમ સાધકને દેખાતું નથી. અનેરાભાવોને જે મારા માને છે તે અજ્ઞાની મિથ્યાર્દષ્ટિપણે રહેલો છે. પરમપારિણામિક ભાવ તે તેનો સ્વભાવ છે. ચારભાવો અન્ય Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy