SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ શિખરની ટોંચ ઉપર સર્વોત્કૃષ્ટ રીતે પ્રતિપાદિત કર્યો છે. તેઓશ્રી તાત્પર્યવૃત્તિના મંગલાચરણમાં લખે છે કે- “ત્વયિ સતિ પરમાત્મનૈવિશાળ્યોદમુશ્વાનહું વીતરાગતાનો પૂજારી, આ રાગી-દ્વેષી–મોહી જીવોને કેમ પૂછું? હે.. પરમાત્મા! મારી પરમાર્થ ભક્તિનો પોકાર છે કે-હું સિદ્ધ-તું સિદ્ધ અને બધા જીવ સિદ્ધ છે. આ કોણ કહે છે? જેઓ કેવળજ્ઞાનની તળેટીમાં ઉભા છે, જેમણે ઉત્કૃષ્ટ ચારિત્રને અંગીકૃત કર્યું છે. તે કહે છે. બીજા શ્લોકમાં જિન ભગવંતોની સ્યાદ્વાદ મુદ્રિત વાણીને નમસ્કાર કર્યા અને ત્રીજા શ્લોકમાં શ્રીગુરુને નમસ્કાર કર્યા. ચોથા કળશમાં ફરમાવે છે કે “ભવ્યોના મોક્ષના અર્થે તેમજ નિજ આત્માની શુદ્ધિના અર્થે હું તાત્પર્યવૃતિ ટીકા કહીશ.” કારણપરમાત્મામાં રમતાં-રમતાં ટીકા થાઓ તો થાઓ ! ટીકા રચવાનો જે વિકલ્પ છે તે નિયમસારની ટીકામાં રમે છે. ત્યારે અમારી પરિણતી તો અભેદ સ્વરૂપની અભેદતા સાધતી વિજ્ઞાનઘન થતી જાય છે. અત્યારે અમને બીજા જીવો સમજે તેવો ભાવ ગૌણ થઈ ગયો છે. કારણ એ કે-ટીકાના કાળે અમારું ચરમ લક્ષ તો નિર્વાણપ્રાપ્તિ અર્થાત્ અવ્યાબાધ સુખની પ્રગટતા જ છે. સ્વાત્મનિષ્ઠ પદ્મપ્રભમલધારિદેવે શુદ્ધભાવ અધિકારમાં ય શું? ઉપાદેય શું? સ્વદ્રવ્ય શું? પરદ્રવ્ય શું? વગેરે વિષયોનો ઊંડાણથી રસાસ્વાદ ચખાડ્યો છે. ભવ્યોત્તમ જીવોને નૂતન ઉન્મેષોની પરમેશ્વરી ભેટ સમર્પિત કરેલ છે. સ્વરૂપસ્થ શીતલ શશી પૂ. ગુરુદેવશ્રી નિયમસારમાં આ શુદ્ધભાવ અધિકાર ઘણો જ સૂક્ષ્મ છે. આ અધિકાર ગ્રહણ કરવા યોગ્ય શું અને ત્યાજ્ય શું તે વિષયને કહેનારો છે. જીવાદિ બાહ્ય તત્ત્વ હેય છે તો ઉપાદેય કોણ છે? કેવો આત્મા ઉપાદેય છે? પરિણામ માત્ર બહિર્તત્વ છે. અનંતગુણમયી અખંડ પરમાત્મા છે તે ઉપાદેય છે. આત્મા એકલો ચૈતન્યદળ, આનંદદળ, ધ્રુવકંદ, જ્ઞાનઘન પૂર્ણ પરમાત્મ સ્વરૂપ છે. તે આશ્રયભૂત તત્ત્વમાં રંગ નથી-રાગ નથી, ભેદ નથી–ભંગ નથી. જેમાં સંવર, નિર્જરા ને મોક્ષ આદિની નિર્મળ પર્યાયોનો પણ અભાવ છે.. તેવો સામાન્ય એકરૂપ જીવતત્ત્વ તે આત્મા છે. આવા આત્માને લક્ષમાં લઈ પરિણમવું તે મોક્ષમાર્ગ છે. એક સમયની નિર્મળ પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી માટે મોક્ષની પર્યાય પણ પરદ્રવ્ય છે. શીતલચંદ્રની ચંદ્રિકા પૂ. ભાઈશ્રી: જેમ સમયસારનો અજીવ અધિકાર અપૂર્વ છે તેમ નિયમસારનો શુદ્ધભાવ અધિકાર અપૂર્વ છે. અજીવ અધિકારમાં જીવનું વર્ણન નાસ્તિની મુખ્યતાથી કર્યું છે. જ્યારે શુદ્ધભાવ અધિકારમાં અસ્તિની મુખ્યતાથી જીવનું પ્રતિપાદન કરેલ છે. વળી આ શાસ્ત્ર નિજભાવના નિમિત્તે રચાયેલું હોવાથી.. શુદ્ધભાવ અધિકારમાં અમૃતરસ વહાવ્યો છે. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy