________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સશુરુદેવ-સ્તુતિ|
(હરિગીત) સંસાર સાગ૨ તા૨વા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યશશિ ફળ્યો અહો!ગુરુશ્કહાન તું નાવિક મળ્યો.
અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધ૨-વીર-કુંદના ! બાહ્યાંત૨ વિભવો તાશ, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદા દ્રષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દ૨વ-ગુણ-પર્યાય વિલશે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત). હૈયું ‘સત્ સત્ જ્ઞાન જ્ઞાન' ધબકે છે વનવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સત્ત્વ ઝળકે; પ૨દ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હદયે ૨હે સર્વદા.
(વસંતતિલકા) નિત્યે સુધા૨ણ ચંદ્ર ! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર ! તને નમું હું, હે જ્ઞાનપોષક સુમેધ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું છું.
(સ્ત્રગ્ધરા). ઊંડી ઊંડી, ઊંડેથી સુખનધિ સતના વાયુ નિત્યે વહેતી, વાણી ચિમૂર્તિ! તારી ઉ૨-અનુભવના સૂક્ષમ ભાવે ભરેલી; ભાવો ઊંડાવિચારી, અભિનવ મંહમાંચિત્તમાં લાવી લાવી, ખોયેલું પામું-મન૨થ મનનો, પૂરજો શકિતશાળી !
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk