________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XXXIII
શુદ્ધ અંત:તત્ત્વ આવે? હું પરમાત્મા છું તેવા વિકલ્પમાં ઉભા રહેવાથી કાર્યની પ્રગટતા થતી નથી. જે કારણને શુદ્ધ જુએ છે તેને કાર્યમાં શુદ્ધતા જ હોય છે. જે શુદ્ધ જાણે આત્માને તે શુદ્ધ આત્મા જ મેળવે. જેવું સામાન્ય છે તેવી જાતનું વિશેષ થાય તેણે જ કારણને માન્યું છે. કેમકે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે. જ કેવા આત્માને આત્મા ઉપાદેય છે તે દર્શાવનાર પૂ. ભાઈશ્રી:
જે અશુભભાવમાં રત છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે? શુભભાવવાળાને આત્મા ઉપાદેય છે? શાસ્ત્ર વાંચે છે તેને આત્મા ઉપાદેય છે? બીજા જીવોને સમજાવે છે તેવા જીવને આત્મા ઉપાદેય છે? એકાંતમાં ચિંતવન કરે છે–આ હેય છે અને આ ઉપાય છે; તેને આત્મા ઉપાદેય છે? જે પરોક્ષ અનુમાનમાં આવ્યો છે તેને આત્મા ઉપાદેય છે ?
ઉપરોક્ત કહેલા કોઈ પણ પ્રકારવાળાને આત્મા ઉપાદેય નથી. જઘન્ય જ્ઞાનીથી કરીને ઉત્કૃષ્ટ ભાવલિંગી સંતને જ આત્મા ઉપાદેય છે. તે જ્યારે શુદ્ધોપયોગપણે પરિણમી જાય છે તેવા આત્માને આત્મા ઉપાદેય છે. કેમકે શુદ્ધોપયોગમાં જ શુદ્ધાત્માના પ્રત્યક્ષ દર્શન થાય છે. બીજું ચારેય ગતિના સંજ્ઞી પંચેન્દ્રીય જીવોમાંથી; જે આત્મા આત્માને ઉપાદેય કરે છે તેને નિયમથી સમ્યગ્દર્શન થાય છે. ૪ આત્મા ને ખરેખર આત્મા ઉપાદેય છે તેનું સ્પષ્ટીકરણ કરનાર પૂ. ભાઈશ્રી:
શુદ્ધોપયોગ પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. શુદ્ધોપયોગમાં આત્મા ઉપાદેય થાય છે તે પણ ભેદનું કથન છે. જ્યારે શુદ્ધોપયોગરૂપે પરિણમી જાય છે ત્યારે આત્માને આત્મા ખરેખર ઉપાદેય છે. શુદ્ધપરિણતીને આત્મા ઉપાદેય છે તે પરંપરાએ કથન કરેલ છે.
જેણે ઉપયોગને આત્મામાં જોડ્યો છે તે હવે પરિણામી આત્મા થયો. સાધક આત્માને એટલે પરિણામી આત્માને અપરિણામી ઉપાદેય છે. “આત્માને” તે પહેલો શબ્દ છે તેનો અર્થ-જે ઉપયોગ શુદ્ધાત્માની સન્મુખ થઈને અભેદ થયો તે પરિણામી આત્માને અપરિણામી આત્મા ઉપાદેય છે. શ્રુતજ્ઞાનને આત્મા ઉપાદેય છે તેમ ન કહ્યું, ધર્મધ્યાનમાં આત્મા ઉપાદેય છે તેમ ન કહ્યું, પરંતુ આત્માને આત્મા ઉપાદેય છે. જે જ્ઞાન અંતરમુખ થઈને પરિણમ્યું છે તેને ભગવાન આત્મા ઉપાદેય થયો છે.
જીવદ્રવ્યને જીવ તત્ત્વ ઉપાદેય છે. ધ્યાતાને ધ્યેય ઉપાદેય છે પરંતુ ધ્યાનને નહીં, કેમકે ધ્યાન તેવો ભેદ પરદ્રવ્યમાં જાય છે. પરિણામીને અપરિણામી ઉપાદેય છે પરંતુ પરિણામને નહીં. કેમ કે પરિણામનો ભેદ પરદ્રવ્યમાં જાય છે. સ્વજ્ઞય ને ધ્યેય ઉપાદેય છે. ભેદને અભેદ ઉપાદેય છે તેમ ન કહેતાં નવા અભેદને જૂનું અભેદ ઉપાદેય છે. જ્ઞાતાને શેય ઉપાદેય છે... પરંતુ જ્ઞાનને નહીં.
અભેદનયથી જોવામાં આવે તો ધર્મધ્યાનને પણ આમા કહેવાય છે. ધર્મધ્યાન પરિણત આત્માને આત્મા ઉપાદેય છે. જેને ઉપચારે આત્મા કહેવામાં આવે છે તેને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk