SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ XXVI ૧૦) ભેદનું પ્રતિક્રમણ થાય છે માટે પરિણામ હય છે. ૧૧) પરિણામથી અજ્ઞાત થઈ જવું, પરિણામને જાણવાનું સર્વથા બંધ કરી દેવું તેનું નામ પરિણામ હુય છે. ૧૨) પરિણામનું પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના થાય છે માટે પરિણામ ય છે. ૧૩) જેને દ્રવ્ય સામાન્ય ઉપાદેયપણે જોય થાય છે તેને જ પરિણામ પ્રત્યે ઉપેક્ષા વર્ત છે તે જ પરિણામની હેયતા છે. ૧૪) પરિણામ ભેદ હોવાથી સ્પશેય પણ નથી. તેને શેયપણે પણ ન જોવા તેનું નામ પરિણામ હેય છે. ૧૫) પરિણામ તે ભેદ છે. ભેદથી પરામુખતા અને અભેદની સન્મુખતા તેનું નામ પરિણામની હેયતા છે. ૧૬ ) પરિણામ છે તે ધ્રુવઆત્માનો સ્વભાવ નહીં હોવાથી પરસ્વભાવ હોવાથી હેય છે. ૧૭) પરદ્રવ્યને-પદ્રવ્ય જાણવું તેનું નામ પરિણામ ય છે. ૧૮) જેમ પરદ્રવ્યમાંથી પરિણામ નથી આવતા તેમ પરિણામમાંથી પરિણામ નથી આવતા માટે પરિણામ હય છે. ૧૯) પરિણામ ઉપાદેય તો નથી જ, પરંતુ તે શયપણ નથી અને અનુભવના કાળે હેય છે તેવો વિકલ્પ પણ નથી તેનું નામ પરિણામ હેય છે. જ્યારે ભેદજ્ઞાનની શક્તિ વિકાસ પામે છે ત્યારે તેને અભેદનો અનુભવ થઈ જાય છે, ત્યારે તેને પરિણામ પરભાવ અને હેય છે તેમ જાણવામાં આવે છે. આત્મા ઉપાદેય થયા વિના પરિણામ ય છે તેમ જાણવામાં ન આવે. જ્યારે આત્મા ઉપાદેય થાય ત્યારે જ બીજી ચીજ હેય ભાસે છે. અને જ્યાં સુધી પરિણામમાં હેયબુદ્ધિ ન આવે ત્યાં સુધી આત્મા ઉપાદેય થતો નથી. જ પરિણામ પરદ્રવ્ય શા માટે છે? તે બતાવનાર પૂ. ભાઈશ્રી: આચાર્ય કુંદકુંદ, આચાર્ય અમૃતચંદ્ર અને પદ્મપ્રભમલધારિદેવ તેમ ત્રણ ત્રણ સંતો કહે છે કે પરિણામ પરદ્રવ્ય છે. અધ્યાત્મની ઉત્કૃષ્ટ શૈલીમાં પરિણામને પરદ્રવ્ય કહ્યું છે. છ દ્રવ્ય પરદ્રવ્ય છે તે વાત જગત પ્રસિદ્ધ છે. પરંતુ પરિણામ પરદ્રવ્ય છે તે વાત જગતને અપ્રસિદ્ધ છે. જે જગતને અપ્રસિદ્ધ છે તેને સંતો દાંડી પીટીને પરદ્રવ્ય કહે છે. સાતતત્ત્વો હેય છે તેમ તો જિનાગમમાં ઘણી જગ્યાએ આવે છે, પરંતુ અહીંતો સંતોને ઘણાં ઊંચા પ્રકારની વાત કહેવાનો ભાવ આવ્યો છે. જ્યાં સુધી પરિણામ તેને પરદ્રવ્યપણે ન દેખાય ત્યાં સુધી પરિણામ તેને સ્વદ્રવ્યપણે ભાસે છે અને તેનું નામ સંસાર છે. જ્યાં સુધી આચાર્યદવ પરિણામ કહે છે ત્યાં સુધી પરિણામમાંથી “હું પણું' Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy