________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
III.
શુદ્ધ અંત:તત્ત્વ જેને સમયસારનું ધ્યાન થાય છે તેને ધ્યેય ધ્યાન અને ધ્યાતાની એકરૂપતા થાય છે. સમયસાર ધ્યેયરૂપ છે, નિયમસાર ધ્યાનરૂપ છે આ બન્નેની અભેદતા તે ધ્યાતા છે. જ્યારે ધ્યાતા થયો ત્યારે આખો આત્મા ય થયો. આ રીતે ધ્યેય+શેયની સંધિ છે.
આ પુસ્તકમાં નિજ શુદ્ધાત્માનો પરમાર્થ પ્રસાદ પીરસ્યો હોવાથી આ પુસ્તકનું નામ “શુદ્ધ અંત:તત્વ” રાખ્યું છે. શ્રી કુંદામૃત કહાન સંસ્થાએ મને શુદ્ધ અંત:તત્ત્વ પુસ્તકનું સંકલન અને સંપાદન કરવાનું કાર્ય સોપેલું તે બદલ હું સંસ્થાની અંત:કરણથી આભારી છું. નિજ શુદ્ધાત્માની રુચિ પ્રગાઢ થવામાં મને માર્ગદષ્ટ બન્યું છે. તઉપરાંત પુસ્તક પ્રકાશન માટે મને જેમની નિરંતર પ્રેરણા અને સહ્યોગ મળતા રહે છે તેવા આત્માર્થી વડિલશ્રી શાંતિભાઈ ઝવેરીની હું આભારી છું. આ પુસ્તક પ્રકાશનમાં આદિથી અંત સુધી સર્વે કાર્યોમાં મને જેમનો અમુલ્ય સહ્યોગ મળ્યો છે તેવા આત્માર્થી ચેતનભાઈ મહેતા માટે કોઈ પણ પ્રકારના શબ્દો દ્વારા આભાર માનવો તે તેમના પ્રત્યેના આભારને ઉણો દર્શાવે છે.
અંતમાં “શુદ્ધ અંત:તત્ત્વ” પુસ્તક પ્રકાશનમાં કહાનલાલ આપની અતિશય ભક્તિ આ કાર્ય થવામાં મને માર્ગદષ્ટા બની છે.
શુદ્ધ અંત:તત્ત્વના નિર્માતા; સમ્યક્ત્વ રત્નના દાતા; સહજ પુરુષાર્થના જ્ઞાતા;
મોક્ષમાર્ગના મુક્ત વિખ્યાતા... એવા શ્રી કહાનગુરુદેવ તેમજ પૂ.ભાઈશ્રી લાલચંદભાઈના હસ્તયુગલમાં આ ભક્તિ પુષ્પ અર્પણ કરું છું.
બા. . શોભનાબેન જે. શાહ (રાજકોટ)
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk