SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૬૭ હું છું. “જીવ” શબ્દ છે તેમાંથી ટીકાકારે કાઢ્યું. “એ સ્વરૂપ કથન દ્વારા પંચમ ભાવના સ્વરૂપનું કથન છે.” આ ચારભાવોને સમજાવવાનો અમારો હેતુ નથી. ચારભાવને તે ગોખી રાખ્યા છે પરંતુ પંચમભાવને તે ગોખ્યો પણ નથી. તો પછી તેનો અનુભવ તો તને ક્યારે આવશે? આ ચારભાવને તું ભાવરૂપે જાણશ પરંતુ આનાથી ભિન્ન પંચમભાવ જે એક આત્માનું લક્ષણ છે તે જ ખરેખર જીવનો ભાવ છે. આ ચાર ભાવો તો બધા વિભાવભાવો છે. કર્મકૃતભાવ અપદ છે તે સ્વપદ નથી. વિભાવ સ્વભાવોના સ્વરૂપ કથન દ્વારા અર્થાત્ નાસ્તિ દ્વારા અસ્તિ સમજાવવાનો અમારો ઇરાદો છે. વ્યવહાર દ્વારા નિશ્ચય સમજાવવાનો ઈરાદો છે. કેમકે વ્યવહારીજનો વ્યવહારને જાણતાં હોવાથી પ્રથમ તેની ભાષામાં તેને કહીએ છીએ. ઘીનો ઘડો કહે ત્યારે તે હું પાડે છે. પછી કહે છે–ઘીનો ઘડો છે તે માટીમય છે. હું ! ઘીનો ઘડો તો પ્રસિદ્ધ છે. તેમ દરેક જીવને વ્યવહાર તો પ્રસિદ્ધ છે. કે-જીવમાં પરિણામ થાય છે એટલે કે-પરિણામ વિના દ્રવ્ય હોઈ શકે નહીં. પરંતુ પરિણામ વિના જ દ્રવ્ય છે તે વાત તેના લક્ષમાં આવતી નથી. તે ભણેલો છે એટલે તર્ક કરે. જો તમે દ્રવ્યને પરિણામ વિના કહેશો તો જૈનમતનો નાશ થશે, કેમકે તમે અનેકાન્તને ઊડાડ્યું! તમે સ્વાદ્વાદને છોડ્યો. અહીં સંતો કહે છે- સાંભળ ભાઈ ! સાંભળ! બાપુ! સમ્યક્ એકાન્ત વિના અનેકાન્તની ભાષા જાણનારો સ્યાદ્વાદ પણ પ્રગટ થશે નહીં. આહા ! આના દ્વારા એટલે નાતિ દ્વારા કહ્યું કે એ ભાવો આત્મામાં નથી. અમારે નાસ્તિ દ્વારા અસ્તિનું જ્ઞાન કરાવવું છે. નાસ્તિના જ્ઞાન દ્વારા, નાસ્તિના જ્ઞાનનું અવલંબન છોડાવવું છે. નાસ્તિનું તો અવલંબન છોડાવ્યું છે પણ સાથે નાસ્તિના જ્ઞાનનું પણ અવલંબન છોડાવવું છે. અને અસ્તિનું જે જ્ઞાન થાય છે એ જ્ઞાનનું પણ અમારે અવલંબન કરાવવું નથી. માત્ર એકલી અસ્તિનું અવલંબન કરાવવું છે. બહુ સારો અધિકાર છે હોં ! આ બહુ સુંદર અધિકાર આવ્યો છે. આહા. હા! આ તેમની ઉત્તર અવસ્થામાં લખાયેલું શાસ્ત્ર છે ને! નિજ ભાવનાને અર્થે હું આ શાસ્ત્રની રચના કરું છું. અત્યારે કોઈને સમજાવવાનો અમારો અભિપ્રાય નથી. અમારા ભાવમાં કોઈ જીવ ચારભાવ વાળો દેખાતો નથી. અમને તો એક શુદ્ધ જીવાસ્તિકાય એ કલો આત્મા જ દેખાય છે. એ કહે છે કે-નાસ્તિ દ્વારા અસ્તિ સમજાવવાનો અમારો અભિપ્રાય છે. અરે! જે તારામાં નથી તેનું જ્ઞાન પણ અમારે કરાવવું નથી. તેનું જ્ઞાન તો તને થઈ જશે. આ સિદ્ધની પર્યાય છે તે પંચમભાવ નથી પણ પંચમગતિ છે. ગતિ એટલે શુદ્ધાત્માની પરિપૂર્ણ શુદ્ધ પરિણતીને-સિદ્ધની પર્યાયને ગતિ કહેવાય. સિદ્ધગતિ છે એ પણ પંચમભાવ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy