________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
[૧૦] જ્ઞાનદાન અર્થાત્ શાસ્ત્રદાનનું વર્ણન કુંદકુંદાચાર્યના જીવે પૂર્વે ભરવાડના ભાવમાં ભક્તિપૂર્વક મુનિને શાસ્ત્ર આપ્યું હતું-તે દાખલો શાસ્ત્રદાન માટે પ્રસિદ્ધ છે. જુઓ, આ જ્ઞાનદાનનો ઘણો મહિમા છે. જેણે સાચા શાસ્ત્રની ઓળખાણ કરી છે કે પોતે સમ્યજ્ઞાન પ્રગટ કર્યું છે તેને એવો ભાવ આવે છે કે અહો, આવી જિનવાણી ને આવી ગુરુવાણી જગતમાં પ્રચાર પામે ને જીવો સમ્યજ્ઞાન પામીને પોતાનું હિત કરે. જ્ઞાનના બહુમાનપૂર્વક શાસ્ત્રદાન વડે જ્ઞાનનો ઘણો ક્ષયોપશમભાવ ખીલી જાય છે.
જ્ઞાનદાનનો મહિમા અને તેનું મહાન ફળ કેવળજ્ઞાન બતાવે છે
व्याख्या पुस्तकदानमुन्नत्तधियां पाठाय भव्यात्मनां भक्त्या यक्रियते श्रुताश्रयमिदं दानं तदाहुर्बुधाः। सिद्धेस्मिन् जननान्तरेषु कतिषु त्रैलोक्य-लोकोत्सवः श्रीकारिप्रकटीकृताखिलजगत् कैवल्यभाबो जनाः।।१०।।
સર્વજ્ઞદેવના કહેલા શાસ્ત્રોનું ભક્તિપૂર્વક વ્યાખ્યાન કરવું તથા વિશાળ બુદ્ધિવાળા ભવ્ય જીવોને વાંચવા માટે ભક્તિપૂર્વક પુસ્તકો આપવા તેને જ્ઞાનીજનો શાસ્ત્રદાન અથવા જ્ઞાનદાન કહે છે. આવા જ્ઞાનદાનનું ફળ શું? તો કહે છે કે આવા જ્ઞાનદાન વડે ભવ્ય જીવ થોડા જ ભવોમાં, ત્રણ લોકને ઉત્સવકારી તથા શ્રીકારી એટલે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com