________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪)
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવક સમ્યગ્દર્શનપૂર્વક આઠ મૂળગુણનું પાલન કરે; તથા પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત ને ચાર શિક્ષાવ્રત-એ સાત શીલવ્રત;-એમ કુલ બાર વ્રત; રાત્રિભોજનપરિત્યાગ, પવિત્ર વસ્ત્રથી ગળેલા જળનું પીવું તથા શક્તિઅનુસા૨ મૌનાદિ વ્રતનું પાલન કરવું;- આ બધા આચરણ ભવ્યજીવોને પુણ્યનું કારણ છે.
જુઓ, આમાં બે વાત કરી. એક તો દશ્ એટલે સૌથી પહેલાં સમ્યગ્દર્શન હોય–એ વાત કરી; ને બીજું આ બધા શુભઆચરણ તે પુણ્યનું કારણ છે, એટલે કે આસવનું કારણ છે, મોક્ષનું કારણ નહિ. મોક્ષનું કારણ તો સમ્યગ્દર્શનપૂર્વક જેટલી વીતરાગતા થઈ તે જ છે.
જેને આત્મભાન થયું છે, કષાયોથી ભિન્ન આત્મભાવ અનુભવ્યો છે, પૂર્ણ વીતરાગતાની ભાવના છે, પણ હજી પૂર્ણ વીતરાગતા નથી થઈ, ત્યાં શ્રાવકપણામાં તેને કેવું આચરણ હોય તે અહીં બતાવ્યું છે. જેમ સ્વયં ગતિવંતને ધર્માસ્તિકાય નિમિત્ત છે તેમ સ્વાશ્રિત શુદ્ધતાવડે જેણે મોક્ષમાર્ગમાં ગમન કર્યું છે એવા જીવને વચ્ચેની ભૂમિકામાં આવા વ્રતાદિ શુભઆચરણ નિમિત્તરૂપે હોય છે. સમ્યગ્દર્શન થતાં ચોથા ગુણસ્થાનથી શુદ્ધતા શરૂ થઈ છે-નિશ્ચયમોક્ષમાર્ગના અંશની શરૂઆત થઈ ગઈ છે, પછી પાંચમે ગુણસ્થાને શુદ્ધતા વધી ગઈ છે ને રાગ ઘણો ઘટી ગયો છે; તે ભૂમિકામાં જે શુભરાગ રહ્યો તેના આચરણની મર્યાદા કેવી છે ને તેમાં કેવાં વ્રત હોય છે તે બતાવ્યું છે. આ શુભરાગનું આચરણ શ્રાવકને પુણ્યબંધનું કારણ છે. એટલે ધર્મી જીવ અભિપ્રાયમાં આવા રાગને પણ કર્તવ્ય માનતા નથી. રાગના એક અંશને પણ ધર્મી જીવ મોક્ષમાર્ગ માને નહિ એટલે તેને કર્તવ્ય માને નહિ. પણ વ્યવહારમાં અશુભથી બચવા શુભને કર્તવ્ય કહેવાય; કેમકે તે ભૂમિકામાં તેવા ભાવો હોય છે.
જ્યાં શુદ્ધતાની શરૂઆત થઈ છે પણ પૂર્ણતા નથી થઈ ત્યાં વચ્ચે સાધકને મહાવ્રત કે દેશવ્રતના પરિણામ હોય છે; પણ જેને હજી શુદ્ધતાનો અંશ પણ પ્રગટયો નથી, જેને પરના કર્તૃત્વની બુદ્ધિ છે, જે રાગને મોક્ષમાર્ગ માને છે તેને તો મિથ્યાત્વનું શલ્ય ઊભું છે, એવા શલ્યવાળા જીવને વ્રત હોતાં નથી, કેમકે વ્રતી તો નિઃશલ્ય હોય છે, નિ:શો વ્રતી' એ ભગવાન ઉમાસ્વામીનું સૂત્ર છે. જેને મિથ્યાત્વશલ્ય ન હોય, જેને માયાશલ્ય ન હોય, જેને નિદાનશલ્ય ન હોય, તેને જ પાંચમું ગુણસ્થાન ને વ્રતીપણું હોય
પહેલી વાત દત્ત એટલે કે સમ્યગ્દર્શનની છે, સર્વજ્ઞદેવની ઓળખાણપૂર્વક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com