________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ )
(શ્રાવકધર્મપ્રકાશ
શ્રાવકને સર્વજ્ઞદેવની પૂજા, ધર્માત્માગુરુઓની સેવા, શાસ્ત્રસ્વાધ્યાય-તે કર્તવ્ય છે એમ વ્યવહા૨ે ઉપદેશ છે. શુદ્ધોપયોગ કરવો એ તો પહેલાં વાત કરી, પણ તે ન થઈ શકે તો શુભની ભૂમિકામાં શ્રાવકને કેવા કાર્યો હોય તે બતાવવા અહીં તેને કર્તવ્ય કહ્યું છે–એમ સમજવું. આમાં જેટલો શુભરાગ છે તે તો પુણ્યબંધનું કારણ છે, ને સમ્યગ્દર્શનસહિત જેટલી શુદ્ધતા છે તે મોક્ષનું કારણ છે. સમ્યગ્દર્શન પામીને મોક્ષમાર્ગમાં જેણે ગમન કર્યું છે એવા શ્રાવકને રસ્તામાં કેવા ભાવો હોય છે તે ઓળખાવીને શ્રાવકધર્મનો ઉદ્યોત કર્યો છે. આવો મનુષ્યઅવતાર અને આવું ઉત્તમ જૈનશાસન પામીને, હે જીવ! તેને તું વ્યર્થ ન ગુમાવ; પ્રથમ તો સર્વજ્ઞ-જિનદેવને ઓળખીને સમ્યગ્દર્શન પ્રગટ કર, અને પછી મુનિદશાનાં મહાવ્રત ધારણ કર, જો મહાવ્રત ન બની શકે તો શ્રાવકનાં ધર્મોનું પાલન કર ને શ્રાવકનાં દેશવ્રત ધારણ કર. શ્રાવકનાં વ્રત કેવાં હોય તે હવેની ગાથામાં કહે છે.
vies
આત્માર્થી જીવ નિષ્પ્રયોજન પ્રવૃત્તિમાં પડે નહિ. ને જેમાં પોતાના આત્માનું હિત થાય એવી સત્સંગપ્રવૃત્તિમાં ઉત્સાહથી પ્રવર્તે.
હે આત્માર્થી બંધુ! તારા આનંદમય આત્માને સાધવા માટે બીજી બધી ચિન્તા છોડીને ૫૨મ પ્રેમથી આત્માને ચિંતવ.
卐
Please inform us of any errors on rajesh@AtmaDharma.com