________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦)
(શ્રાવકધર્મપ્રકાશ સમ્યગ્દર્શનથી રહિત છે તે ઊંધી દષ્ટિથી સંસારમાં રખડવાનો; આત્માને સ્વભાવથી ભરેલો ને સંયોગથી ખાલી માન્યો તો તેના ફળમાં સંયોગરહિત એવા સિદ્ધપદને પામશે. સંયોગથી આત્માની મોટાઈ નથી. શ્રીમદ્ રાજચંદ્ર કહે છે કે
લક્ષ્મી અને અધિકાર વધતાં શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? વધવાપણું સંસારનું નરદેહને હારી જવો,
એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો. અરે, સંયોગથી આત્માની મોટાઈ માનવી એ તો સ્વભાવને ભૂલીને આ મોંઘો મનુષ્યભવ હારી જવા જેવું છે માટે હે ભાઈ ! આવો મનુષ્ય અવતાર પામીને આત્માનું ભાન કેમ થાય ને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈને ભવભ્રમણ કેમ મટે-એનો પ્રયત્ન કર.
જગતમાં અસત્ માનનારા ઘણા હોય-તેથી શું? અને સત્યધર્મ સમજનારા થોડા જ હોય–તેથી શું? – તેથી કાંઈ અસની કિંમત વધી જાય ને સની કિંમત ઘટી જાય-એમ નથી. કીડીનાં ટોળાં ઘણાં હોય ને માણસ થોડા હોય–તેથી કાંઈ કીડીની કિંમત વધી ન જાય જગતમાં સિદ્ધો સદાય થોડા ને સંસારી જીવો ઝાઝા, તેથી સિદ્ધ કરતાં સંસારીની કિંમત શું વધી ગઈ ? જેમ અફીણનો ભલે મોટો ઢગલો હોય તોપણ તે કડવો છે, ને સાકરની નાની કટકી હોય તોપણ તે મીઠી છે, તેમ મિથ્યામાર્ગમાં કરોડો જીવો હોય તો પણ તે માર્ગ ઝેર જેવો છે, ને સમ્યકમાર્ગમાં ભલે થોડા જીવો હોય તોપણ તે માર્ગ અમૃત જેવો છે. જેમ-થાળી ભલે સોનાની હોય પણ જો તેમાં ઝેર ભર્યું હોય તો તે શોભતું નથી ને ખાનારને મારે છે, તેમ ભલે પુણ્યના ઠાઠ વચ્ચે પડ્યો હોય પણ જે જીવ મિથ્યાત્વરૂપી ઝેરસહિત છે તે શોભતો નથી, તે સંસારમાં ભાવમરણથી મરે છે. પણ, જેમ થાળી ભલે લોઢાની હોય પણ જો તેમાં અમૃત ભર્યું હોય તો તે શોભે છે ને ખાનારને તુતિ આપે છે, તેમ ભલે પ્રતિકૂળતાના ગંજ વચ્ચે પડો હોય પણ જે જીવ સમ્યગ્દર્શનરૂપી અમૃતથી ભરેલો છે તે શોભે છે, તે આત્માના પરમ સુખને અનુભવે છે ને અમૃત એવા સિદ્ધપદને પામે છે. પરમાત્મપ્રકાશ પૃ. ૨૦૦ માં કહ્યું છે કે
“वरं नरकवासोऽपि सम्यक्त्वेन हि संयुतः। ન તુ સચવરૂદીનચ નિવાસો ફિવિ રગતા”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com