________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* સ્વતંત્રતાની ઘોષણા ? [ચાર બોલથી સ્વતંત્રતાની ઘોષણા કરતાં ખાસ પ્રવચન ]
(સમયસાર કલશ ર૧૧) (સં. ૨૦૨૨ કારતક સુદ ૩ તથા ૪)
F
ભગવાન સર્વજ્ઞદેવે જોયેલો વસ્તુસ્વભાવ કેવો છે, તેમાં કર્તાકર્મપણું કઈ રીતે છે તે અનેક પ્રકારે દષ્ટાન્ત અને યુક્તિથી ઘૂંટી ઘૂંટીને સમજાવીને, તે સ્વભાવના નિર્ણયમાં કઈ રીતે મોક્ષમાર્ગ આવે છે તે પૂ. ગુરુદેવે આ બે પ્રવચનોમાં બતાવ્યું છે. આમાં ગુરુદેવે ઘૂંટી ઘૂંટીને ભેદજ્ઞાન કરાવ્યું છે ને વીતરાગમાર્ગના રહસ્યભૂત સ્વતંત્રતાની ઘોષણા કરતાં કહ્યું છે કે સર્વજ્ઞદેવે કહેલા આ પરમ સત્ય વીતરાગી વિજ્ઞાનને જે સમજશે તેનું અપૂર્વ કલ્યાણ થશે.
(ગુરુદેવની આજ્ઞા અનુસાર આ બે પ્રવચનો પણ આ પુસ્તકમાં આપવામાં આવ્યા છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com