________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રાવકધર્મપ્રકાશ)
(૧૪૭ ત્યાં રાગની રુચિવાળા કોઈ જીવોને તે ન રુચે તો ક્ષમા કરજો, કેમકે સંતોનો ઉપદેશ તો મોક્ષની પ્રધાનતાનો છે એટલે તેમાં રાગને આદરણીય કેમ કહેવાય? ભાઈ, તારાથી બધો રાગ અત્યારે ભલે છૂટી ન શકે, પણ એ છોડવા જેવો છે એવું સાચું ધ્યેય તો પહેલાં નક્કી કર. ધ્યેય સાચું હશે તો ત્યાં પહોંચાશે. પણ ધ્યેય જ ખોટું રાખીશ- રાગને ધ્યેય રાખીશ, તો રાગ તોડીને વીતરાગતા ક્યાંથી લાવીશ? માટે સત્ય માર્ગ વીતરાગી સંતોએ પ્રસિદ્ધ કર્યો છે.
સર્વજ્ઞતાને સાધતાં સાધતાં વનવિહારી સંત પદ્મનંદી મુનિરાજે આ શાસ્ત્ર રચ્યું છે. તેઓ આત્માની શક્તિમાં જે પૂર્ણ આનંદ ભર્યો છે તેની પ્રતીત કરીને તેમાં લીનતા વડે તે ખોલતા હતા, સિદ્ધ ભગવાન સાથે સ્વાનુભવ દ્વારા વાત કરતા હતા, ને સિદ્ધપ્રભુ જેવા અતીન્દ્રિય આનંદનો ઘણો અનુભવ કરતા હતા, ત્યાં ભવ્ય જીવો ઉપર કરુણા કરીને આ શાસ્ત્ર રચાઈ ગયું છે. તેમાં કહે છે કે અરે જીવ! સૌથી પહેલાં તું સર્વશદેવને ઓળખ. સર્વશદેવને ઓળખતાં તારી સાચી જાત તને ઓળખાશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com