________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪)
(શ્રાવકધર્મપ્રકાશ
આમ મોક્ષ અને પુણ્યફળની બંનેની વાત કરી, છતાં કહે છે કે હૈ મુમુક્ષુ ! તારે આદરણીય તો મોક્ષનો જ પુરુષાર્થ છે; પુણ્ય તો એનું આનુસંગિક ફળ છે એટલે કે અનાજની સાથેના ઘાસની માફક એ તો વચ્ચે સહેજે આવી જાય છે. તેમાં પણ જ્યાં હૈયબુદ્ધિ છે ત્યાં શ્રાવકને પાપની તો વાત જ કેવી? આ રીતે ધર્મી શ્રાવકને મોક્ષપુરુષાર્થની મુખ્યતાનો ઉપદેશ કર્યો અને તેની સાથે પુણ્યના શુભપરિણામ હોય છે તે પણ બતાવ્યું.
+3
ॐ
અરે, જીવ! તું સર્વજ્ઞની અને જ્ઞાનની પ્રતીત વગ૨ ધર્મ ક્યાં કરીશ ? રાગમાં ઊભા રહીને સર્વજ્ઞની પ્રતીત થતી નથી. રાગથી જુદો પડીને, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞની પ્રતીત થાય છે. આ રીતે જ્ઞાનસ્વભાવના લક્ષપૂર્વક સર્વજ્ઞની ઓળખાણ કરીને તેમના વચનઅનુસાર ધર્મની પ્રવૃત્તિ થાય છે. સમકિતી-જ્ઞાનીનાં જે વચન છે તે પણ સર્વજ્ઞ-અનુસાર છે કેમકે તેના હૃદયમાં સર્વજ્ઞદેવ બેઠા છે. જેના હૃદયમાં સર્વજ્ઞ ન હોય એટલે કે સર્વજ્ઞને જે માનતો ન હોય તેનાં ધર્મવચન સાચાં હોય નહિ. આ રીતે સર્વજ્ઞની ઓળખાણ તે ધર્મનું મૂળ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com