________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(શ્રાવકધર્મપ્રકાશ
અષ્ટપ્રાભૃત-મોક્ષપ્રાભૃતમાં કુંદકુંદસ્વામીએ શ્રાવકનાં પ્રથમ કર્તવ્યનો સુંદર ઉપદેશ આપ્યો છે, જે સમ્યકત્વની ભક્તિ અને પ્રેરણા જગાડે છે. તેમાં તેઓશ્રી કહે છે કે
હે શ્રાવક! પ્રથમ તો સુનિર્મલ અને મેરુવ નિષ્કપ, અચળ, (ચળ મલિન તથા અગાઢ એ ત્રણ દૂષણ રહિત) અત્યંત નિશ્ચળ એવા સમ્યકત્વને ગ્રહણ કરી, તેને (સમ્યકત્વના વિષયભૂત એકરૂપ આત્માને) ધ્યાનમાં ધ્યાવવું શા માટે ધ્યાવવું? કે દુ:ખના ક્ષયને અર્થે ધ્યાવવું.
ભાવાર્થ- શ્રાવકે પહેલાં તો નિરતિચાર નિશ્ચળ સમ્યકત્વને ગ્રહણ કરી તેનું ધ્યાન કરવું, કે જે સમ્યકત્વની ભાવનાથી ગૃહસ્થને ગૃહકાર્યસબંધી આકુળતા, ક્ષોભ, દુઃખ હોય તે મટી જાય. કાર્યના બગડવાસુધરવામાં વસ્તુના સ્વરૂપનો વિચાર આવે ત્યારે દુઃખ મટી જાય. સમ્યગ્દષ્ટિને એવો વિચાર હોય છે કે સર્વજ્ઞ જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું છે, તેમ નિરંતર પરિણમે છે, અને તેમ થાય છે, તેમાં ઈષ્ટ-અનિષ્ટ માની, દુઃખી-સુખી થવું તે નિષ્ફળ છે; એવા વિચારથી દુ:ખ મટે, તે પ્રત્યક્ષ અનુભવગોચર છે. તેથી સમ્યકત્વનું ધ્યાન કરવાનું કહ્યું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com