SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૮) (શ્રાવકધર્મપ્રકાશ [૨૧] જિનેન્દ્ર-ભક્તિવંત શ્રાવકોને ધન્ય છે શ્રાવકો ગાઢ જિનભક્તિથી જૈનધર્મને શોભાવે છે. શાંતદશા પામેલા ઘર્માજીવ કેવા હોય ને વીતરાગી દેવગુરુ પ્રત્યેની એની ભક્તિનો ઉલ્લાસ કેવો હોય તેની પણ જીવોને ખબર નથી. ઇન્દ્ર જેવા પણ ભગવાન પ્રત્યે ભક્તિથી કહે છે કે હે નાથ ! આ વૈભવવિલાસમાં રહેલું અમારું જીવન એ કાંઈ જીવન નથી, ખરું જીવન તો આપનું છે... કેવળજ્ઞાન ને અતીન્દ્રિય આનંદમય જીવન આપ જીવી રહ્યા છો. काले दुःखमसंज्ञके जिनपतेधर्मे गते क्षीणतां तुच्छे सामयिके जने बहुतरे मिथ्यान्धकारे सति। चैत्ये चैत्यगृहे च भक्तिसहितो यः सोऽपि न दृश्यते यस्तत्कारयते यथाविधि पुनर्भव्यः स वंद्यः सताम्।।२१।। આ દુઃષમકાળમાં જ્યારે જિનેન્દ્રભગવાનનો ધર્મ ક્ષીણ થતો જાય છે, જૈનધર્મના આરાધક ધર્માત્મા જીવો પણ ઘણા થોડા છે અને મિથ્યાત્વઅંધકાર ઘણો ફેલાઈ રહ્યો છે, જિનમંદિર અને જિનપ્રતિમા પ્રત્યે ભક્તિવાળા જીવો પણ બહુ દેખાતા નથી, એવા આ કાળમાં જે જીવ વિધિપૂર્વક જિનમંદિર તથા જિનપ્રતિમા કરાવે છે તે ભવ્યજીવ સજજનો વડે વંધ છે. તીર્થકર ભગવાન બિરાજતા હોય ત્યાં તો ધર્મની ધીકતી ધારા ચાલતી હોય, ચક્રવર્તી ને ઇન્દ્રો જેવા એ ધર્મને આરાધતા હોય. પણ અત્યારે તો અહીં જૈનધર્મ ઘણો ઘટી ગયો છે. તીર્થકરોનો વિરહ, મુનિવરોની પણ દુર્લભતા, ઊંધી માન્યતાને પોષનારા મિથ્યામાર્ગનો પાર નહીં-આવી વિષમતાના ગંજ વચ્ચે પણ જે જીવ Please inform us of any errors on [email protected]
SR No.008312
Book TitleShravaka Dharma Prakash
Original Sutra AuthorPadmanandi
AuthorKanjiswami
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1966
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Ethics, & Principle
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy