SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૨૭ શ્લોઝ-૧૨૭ (માલિની) यदि कथमपि धारावाहिना बोधनेन ध्रुवमुपलभमानः शुद्धमात्मानमास्ते । तदयमुदयदात्माराममात्मानमात्मा परपरिणितिरोधाच्छुद्धमेवाभ्युपैति । ।१२७ । । ૫૧૫ હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે : == શ્લોકાર્થ :– (યવિ) જો (થમ્ અ) કોઈ પણ રીતે (તીવ્ર પુરુષાર્થ કરીને) (ધારાવાદિના વોધનેન) ધારાવાહી જ્ઞાનથી (શુદ્ધમ્ આત્માન) શુદ્ધ આત્માને (ધ્રુવમ્ ઉપલમમાન: આસ્તે) નિશ્ચળપણે અનુભવ્યા કરે (તત્) તો (અયમ્ આત્મા) આ આત્મા, (જીવયત્-આત્મગારામમ્ આત્માનમ્) જેનો આત્માનંદ પ્રગટ થતો જાય છે (અર્થાત્ જેની આત્મસ્થિરતા વધતી જાય છે) એવા આત્માને (પર-પરિતિ-રોધાત) ૫૨પરિણતિના નિરોધથી (શુદ્ધત્ વ અમ્યુપતિ) શુદ્ધ જ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- ધારાવાહી જ્ઞાન વડે શુદ્ધ આત્માને અનુભવવાથી રાગદ્વેષમોહરૂપ ૫૨પરિણતિનો (ભાવાસવોનો) નિરોધ થાય છે અને તેથી શુદ્ધ આત્માની પ્રાપ્તિ થાય છે. ધારાવાહી જ્ઞાન એટલે પ્રવાહરૂપ જ્ઞાન-અતૂટક જ્ઞાન. તે બે રીતે કહેવાય છે ઃ– એક તો, જેમાં વચ્ચે મિથ્યાજ્ઞાન ન આવે એવું સમ્યગ્નાન ધારાવાહી જ્ઞાન છે. બીજું, એક જ શેયમાં ઉપયોગના ઉપયુક્ત રહેવાની અપેક્ષાએ જ્ઞાનનું ધારાવાહીપણું કહેવામાં આવે છે, અર્થાત્ જ્યાં સુધી ઉપયોગ એક શેયમાં ઉપયુક્ત રહે છે ત્યાં સુધી ધારાવાહી જ્ઞાન કહેવાય છે; આની સ્થિતિ (છદ્મસ્થને) અંતર્મુહૂર્ત જ છે, પછી તે ખંડિત થાય છે. આ બે અર્થમાંથી જ્યાં જેવી વિવક્ષા હોય તેવો અર્થ સમજવો. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરે નીચેનાં ગુણસ્થાનવાળા જીવોને મુખ્યત્વે પહેલી અપેક્ષા લાગુ પડે. શ્રેણી ચડનાર જીવને મુખ્યત્વે બીજી અપેક્ષા લાગુ પડે કારણ કે તેનો ઉપયોગ શુદ્ધ આત્મામાં જ ઉપયુક્ત છે. ૧૨૭.
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy