SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૨૬ ૪૯૩ એ ચૈતન્યની જાતનો નમૂનો, સ્વાદનો અર્થ કે સમ્યજ્ઞાનનો સ્વાદ) નહિ આવે. નમૂનો આવ્યો એ દ્વારા જણાવ્યું કે આ તો આખો આત્મા આ સ્વરૂપે જ છે. જ્ઞાનસ્વરૂપે જ છે અને આનંદસ્વરૂપે જ છે. આહાહા....! પોતે સદા જ્ઞાનસ્વરૂપ જ રહ્યો છે....” જોયું ? “સ્વરૂપ જ રહ્યો છે” એમ કહ્યું). વસ્તુ જે છે એ દયા, દાનના રાગરૂપે કોઈ દિ થઈ જ નથી. આહાહા..! થઈ હોય તો ભિન્ન જણાણું કેમ? એમ. આહા..હા...! રાગના વિકલ્પ દયા, દાનથી ભિન્ન પાડીને જણાણો ત્યારે જણાણો કે, આ કોઈ દિ' રાગરૂપ થયો નથી. થયો હોય તો આ અનુભવમાં કેમ આવે? સમજાણું કાંઈ ? આહા..હા...! મૂળ સમ્યગ્દર્શનની વાત મૂકીને બધી વાતું લોકો કરે). વ્રત પાળવા ને અપવાસ કરવા ને આ કરવા ને તે કરવા. લોકોમાં (ધર્મીષ્ઠ) માને, લોકો માને કરી શકે નહિ અને (કહે), બિચારા કષ્ટ કરે છે. પણ એના ફળ તો ચાર ગતિના રખડવાના છે. આ.હા...! આ વસ્તુ ભવના અભાવની છે. ચૈતન્ય સ્વરૂપ જાણક સ્વભાવ અને રાગ આકુળતા અને આ (સ્વરૂ૫) અનાકુળ. બેની ભિન્નતા જાણી એટલે આત્માને જાણ્યો. આત્માને જાણ્યો એટલે કે આત્મા આવો જ સદાય રહ્યો છે એમ જાણ્યું. આહા..હા...! “રાગાદિરૂપ કદી થયો નથી માટે આચાર્યમમહારાજે કહ્યું છે કે, “હે સત્પરુષો !” આ...હા...! જુઓને કરુણા ! છે ને કળશમાં ? હે સત્રપુરુષો ! આ.હા..! “મેરેજ્ઞાનમુતિ નિર્મમિદં મોમ્બમધ્યાસિતા:' આમ કરો, પ્રભુ ! એમ કહે છે. આહાહા....! હે સપુરુષો! “લિંગ પાહુડમાં બહુ આવે, લિંગ પાહુડ છે ને ? એમાં હે મહાજન ! એવા શબ્દ આવે. એ ગમે એવો હોય પણ એને હે મહાજન ! હે મહાસંત ! હે મારા મિત્ર ! મિત્ર ! એવી ભાષા ઘણી આવે છે, હોં ! હે મહાભાગ્ય ! એમ કહીને બોલાવે. આહા..હા...! “અષ્ટ પાહુડ' ! આ...હા...! અહીં તો એને જુદો પાડીને અનુભવવાવો છે ને ! રાગના કણથી પણ જુદો. હવે પછી બહારના પદાર્થોનું) શું ? લોઢાના (વેપાર કરે). આહા...! બહુ આકરું કામ. ધંધો કરી શકે નહિ. કરી શકે એમ માને છે. ધંધો કરી શકતો નથી. આહા..હા..! કેમકે એ જ્ઞાનસ્વરૂપ છે. જે જ્ઞાન છે એ કોઈ એક ચીજને મારી માને એ તો જ્ઞાનનું સ્વરૂપ જ નથી. જ્ઞાન સર્વને જાણે એ એનું સ્વરૂપ છે. આત્મા સિવાય સર્વ વસ્તુઓ એ માહ્યલી કોઈ એક-બે ચીજ પણ મારી છે એમ માનવું એ વસ્તુ નથી. પણ આત્મા સિવાય અનંતી ચીજો છે તે બધાને જાણે એવો એનો સ્વભાવ છે. માટે જ્ઞાતા-દૃષ્ટા પોતે છે. આહા..હા..! આ બધું કહીને પણ જ્ઞાતા-દેષ્ટા કરાવવો છે. આહાહા...! “હે સપુરુષો ! હવે તમે મુદિત થાઓ. આહા..હા....! હે ધર્માત્મા ! આ.હા..હા....! હવે ધર્મમાં આનંદ કરો. ધર્મનો આનંદ લ્યો. રાગનો આનંદ તો અનંતકાળથી લીધો. દુઃખનો (સ્વાદ હતો). ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ હોય કે ચાહે તો હિંસા, જૂઠું,
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy