SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ સમયસાર સિદ્ધિ-૬ સ્વભાવ છે એ શુદ્ધ ચૈતન્ય છે, એમ જાણી અને એ સ્વાંગને જેણે દૂર કર્યો. સ્વરૂપમાં સ્થિર થઈ એ અસ્થિરતાનો નાશ કર્યો. તેથી તે બહાર નીકળી ગયો.” તેથી આસવ રંગભૂમિમાં આવ્યો હતો એ નીકળી ગયો. હવે, એના ઓલાનું (-અર્થનો) કળશ. યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ દ્રવ્યત આગમ ગાયે, રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ જતાયે; જે મુનિરાજ કરે ઇનિ પાલ સુરિદ્ધિ સમાજ લયે સિવ થાય, કાય નવાય નમું ચિત લાય કહું જય પાય લહૂ મન ભાય. હિન્દીમાં ટૂંકું કર્યું. “યોગ કષાય મિથ્યાત્વ અસંયમ આસવ...” એ દ્રવ્યત્વ છે. જડ, જડ પૂર્વના (બાંધેલા છે). દ્રવ્યત આગમ ગાયો.” પૂર્વના (કર્મ) સત્તામાં પડ્યા છે. “રાગ વિરોધ વિમોહ વિભાવ અજ્ઞાનમયી યહ ભાવ” એ ભાવાસવ. ઓલા પૂર્વના પડ્યા છે) ઈ જડ આસવ (કહ્યા). એ કંઈ બંધનું કારણ નથી. રાગ અને વિરોધ એટલે દ્વેષ, વિમોહ એટલે મિથ્યાત્વ. એવો વિભાવ અજ્ઞાનમય. અજ્ઞાનમય જે ભાવ “યહ ભાવ જતાયે...” એ ભાવાત્સવ બતાવ્યા. જે મુનિરાજ કરે ઇનિ પાલ....” જે મુનિરાજ પોતાનું પાલન (એટલે કે સ્વરૂપની સ્થિરતા કરે “સુરિદ્ધિ સમાજ.' (અર્થાતુ) અતીન્દ્રિય આનંદની ઋદ્ધિરૂપી પોતાનો સમાજ. ‘લયે શિવ થાય...” એ અનંત આનંદ ને અનંત શાંતિને પામી મુક્તિને પામે. ‘કાય નવાય.” “જયચંદજી) પંડિત પોતે કહે છે. હિન્દી ટીકાકાર ! ‘કાય નવાય.” કાયાથી તેને નમું છું. ચિત્ત લાય.” ચિત્તને સાથે રાખીને. એટલે ચિત્તથી પણ નમું છું, એમ. જય.” એ આ જયચંદ્ર' ટીકાકાર. જય પાય.’ આમ જય મળે અને આસ્રવ ટળીને જય થાય અને એમ જય' પોતાનું નામ નાખ્યું. “જય પાય લહૂ મન ભાય.” મનમાં ભાવના એ છે કે રાગથી રહિત થઈને હું શુદ્ધ થાઉં એવી મારી ભાવના છે. આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગલકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં આસવનો પ્રરૂપક ચોથો અંક સમાપ્ત થયો.”
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy