SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ સમયસાર સિદ્ધિ-૬ અને પુણ્ય અને પાપને બેને બે તરીકે ભિન્ન ભિન્ન જાણે, એ મિથ્યાત્વભાવ છે. આહા..હા...! નવ તત્ત્વ તરીકે ગણતા એના પુણ્ય અને પાપનું તત્ત્વ જુદું ગણ્યું. પણ એક ઠેકાણે પાછું કાઢી નાખ્યું. આસવ ગણીને પુણ્ય-પાપ ન રાખ્યા. સાત તત્ત્વ કીધાં ને ત્યાં ? આહા...હા...! એને – એ પુણ્ય-પાપને બેને આસવ ગણીને એક જ તત્ત્વ ગણ્યું. વ્યવહારે બેને જુદા પાડ્યા હતા. આહા..હા...! એ નિશ્ચયથી બે એક છે, આસ્રવ છે, બંધનું કારણ છે. આહા..હા...! હવે આમાં કયારે નિવૃત્તિ લેવી ! અરે......! ચોરાશી લાખ અવતારમાં પરિભ્રમણ કરતો ચાંય એને વિશ્રામસ્થાન મળ્યું નહિ. એ પોતે જ છે અંદર. તેનું માહાત્મ્ય – મહિમા, અને રાગથી જુદાપણાનું ભાન એણે ન કર્યું. આહા..હા...! બાકી બધું એણે ગમે તે કર્યું હોય, પાંચ-પચાસ લાખ ભેગા કર્યાં હોય, બે-પાંચ કરોડની ધૂળ (ભેગી કરી હોય)... આહા..હા...! એનું શું ? એ તો દુર્ગતિનું કારણ છે. આહા..હા...! મુંબઈ’માં બેને જોયા, ભાઈ ! પેલો બે અબજ અને ચાલીસ કરોડવાળાનો દીકરો આવ્યો હતો. પણ ઈ પગે લાગીને એટલું બોલ્યો કે, મારા બાપુજીને આવવાનો ભાવ હતો.’ એટલું બોલ્યો. ઠીક, કીધું. મારા બાપને આવવાનો ભાવ હતો' એટલું બોલ્યો. ઠીક કીધું. એ તો પોપટભાઈ’ કહેતા. એના બનેવી પણ કહેતા કે, કોઈવાર પહેલા એવો વિચાર થયો હશે. એમ કે, આ બધા સોનગઢ’ જાય છે, મારી બેન ત્યાં છે, મારો બનેવી ત્યાં છે. તો જોવા તો જઈએ. બે અબજ અને ચાલીસ કરોડ ! ધૂળમાં ગરી ગયેલા, મરી ગયેલા બિચારા ! આ..હા..હા...! બીજો આ જોયો. વૈષ્ણવ ! મુંબઈ’ તમારો શેઠ ! પચાસ કરોડ ! પચાસ કરોડ ! આવ્યો હતો. (પોતે) વૈષ્ણવ, ઘરે બૈરા છે એ જૈન છે. શ્વેતાંબર જૈન એટલે એને પ્રેમ છે. પગે લાગવા આવ્યો હતો. ભાઈ એમાં નોકર હતા ને ‘ામદાસ’! ― મુમુક્ષુ :- ત્રણ વખત મળ્યા હતા. ઉત્તર :- આવ્યા હતા, આવ્યા હતા. ફરીને આવ્યા હતા. પહેલા આવ્યા હતા પછી ઘરે લઈ ગયા, પાછા ફરીને આવ્યા હતા. (શ્રોતા ઃ જન્મજયંતી વખતે...) જન્મજયંતી (વખતે આવેલા), ખબર છે, ખબર છે ને ! પચાસ કરોડ રૂપિયા ! પાટણ’ના વૈષ્ણવ (હતા). અરે...! કર્તા.. કર્તા.. કર્તા (માને). વૈષ્ણવ ખરા ને ? મેં તો એમ જ કહ્યું, તમે કર્તા કહો તો પછી નરસિંહ મહેતા’ એમ કહે છે, જ્યાં લગી આત્મા તત્ત્વ ચિન્યો નહિ’ ત્યાં એમણે એમ નથી કીધું કે, જ્યાં લગી ઈશ્વરને એણે જાણ્યા નહિ' મુમુક્ષુ :- અમારામાં એમ છે ને, એમ એણે આપને જવાબ આપ્યો હતો. ઉત્તર - ઈ તો એને જરી આધાર દેવા માટે (કહ્યું). જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહિ’ એમાં બે વાત નીકળી. એક તો ઈશ્વરને જાણ્યો નહિ એમ નથી કીધું તેમ જાણ્યું
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy