SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક-૧૧૧ ૨૦૧ શકે જ નહિ. આહા..હા...! આકરી વાત છે, ભાઈ ! વીતરાગની એકેએક વાત એવી છે. આહા..હા...! જુઓ ! એનો અર્થ કર્યો, જુઓ ! તેઓ સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” અતિ મંદ-ઉદ્યમી છે એમ કીધું. ‘સ્વરૂપપ્રાપ્તિનો પુરુષાર્થ કરતા નથી.)' અંતરમાં વલણ કરતા નથી. હજી ભલે પામ્યા ન હોય પણ અંતરમાં વલણ હોય છે એને પણ અહીં ઊભા રાખ્યા છે. પણ જેને અંતરનું વલણ જ નથી અને એકલો મંદ ઉદ્યમ (છે), સ્વભાવ તરફ છે નહિ અને પુણ્ય-પાપની તીવ્રતામાં પડ્યો છે. આહા..હા...! છે ? “સ્વચ્છેદથી અતિ મંદ-ઉદ્યમી છે.” (ગતિસ્વછન્ડમન્ડ-૩મા) એ શબ્દ પડ્યો છે. સમદષ્ટિ ન હોય પણ સમ્યગ્દર્શન સન્મુખ, મિથ્યાદૃષ્ટિ હોય તેને અહીંયાં આગળ આમાં નથી રાખ્યો. સમજાણું કાંઈ ? સમ્યગ્દર્શનની સન્મુખ છે, છે હજી મિથ્યાત્વ પણ સન્મુખ છે એને આ પર તરફના વિષયકષાયમાં લીનતા હોતી નથી, એમાં અંદર રસ હોતો નથી. આહાહા....! એથી આ શબ્દ વાપર્યો છે – (તિરસ્વચ્છત્ત્વમન્દ્ર-૩મા:). અંતર ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ, એના તરફનો ઝુકાવ અને વલણ જરીયે નથી અને એકલા વિષય-કષાયના પરિણામ તરફના ઝુકાવમાં પડ્યો છે... આહા..હા...! ભારે શ્લોક છે. જેમ એ પુણ્ય-પાપના કરનારાઓ પણ ધર્મ માનીને ડૂબેલા છે એમ જેને અંતર્મુખનો પ્રયત્ન જ નથી, અંતર્મુખ (થવાનો) જે પ્રયત્ન જોઈએ એ પ્રયત્ન જ નથી અને એકલો બહિર્મુખનો પ્રયત્ન છે) અને જ્ઞાનનો ઉઘાડ (છે), એનાથી અમને ધર્મ થશે એમ માનનારા) પણ ડૂબેલા છે. આહા..હા...! એ પણ મિથ્યાત્વમાં છે એમ કહેવું છે. ડૂબેલા એટલે કયાં ડૂળ્યા છે ? મિથ્યાત્વમાં ડૂળ્યા (છે) ઈ સંસારમાં ડૂળ્યા છે. આહાહા....! વાસ્તવિક અંદર વસ્તુ પ્રભુ ! શુદ્ધ આનંદઘન ! તેના તરફનું વલણ જ નથી, ઝુકાવ જરીયે નથી અને એકલા જ્ઞાનના ઉઘાડને નામે વિષય-કષાયને સેવી સ્વચ્છંદી તથઈ) પૈસા આદિ અનેક પ્રકારે છે કે અત્યારે ? જ્ઞાનને નામે પૈસા ઉઘરાવે, અમને જ્ઞાન થયું માટે પૈસા આપો, આમ કરો, તેમ કરો. આહા..હા...! એ પરમાં એકદમ લાલસાવાળા ( મિથ્યાદૃષ્ટિ છે). અંદરમાં તો અતિ મંદ ઉદ્યમ છે. એટલે કે તેના તરફનું વલણ જરીયે નથી. આ.હા..હા..! સ્વભાવ ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ! જે એ જ ચીજ છે એ આત્મા છે એવા પૂર્ણાનંદનું ધ્યેય નથી, ધ્રુવનું જેને ધ્યેય નથી અને જ્ઞાનના ઉઘાડમાં ધ્યેય (અને) લક્ષ તો ફક્ત પર તરફ છે. આ..હા....! મુમુક્ષુ :- પર તરફ લક્ષ છે એટલે ? ઉત્તર – અંતર તરફ નહિ, પર તરફ જ છે). આત્મા સિવાયના જેટલા પરપદાર્થ છે એટલી તરફનું વલણ છે. આત્મા તરફનો મંદ ઉદ્યમ પણ નથી અને સ્વચ્છંદમાં મહા ઉદ્યમવાળા થઈને (ફરે છે). આહા..હા...! એવી વાત છે.
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy