SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ સમયસાર સિદ્ધિ-૬ હવે, કર્મ મોક્ષના કારણના તિરોધાયિભાવસ્વરૂપ (અર્થાત્ મિથ્યાત્વાદિભાવસ્વરૂપ) છે.” જોયું ? સમ્યગ્દર્શનને ઠેકાણે મિથ્યાત્વાદિ ભાવ (થાય છે) એ મોક્ષના માર્ગથી વિરુદ્ધ ભાવ છે. આ..હા....! બંધભાવ તો પેલામાં ગયો. અહીં તો એને વિરુદ્ધભાવ (તરીકે) સિદ્ધ કરવું છે. વસ્તુના સ્વરૂપથી જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જોઈએ તેનાથી આ મિથ્યાત્વાદિ વિરુદ્ધ પરિણામ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? (મિથ્યાત્વાદિભાવસ્વરૂ૫) છે.” જોયું ? ત્રણ ગાથા (છે). सम्मत्तपडिणिबद्धं मिच्छत्तं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो मिच्छादिट्टि ति णादव्वो।।१६१।। णाणस्स पडिणिबद्धं अण्णाणं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अण्णाणी होदि णादवो।।१६२।। चारित्तपडिणिबद्ध कसायं जिणवरेहि परिकहियं । तस्सोदयेण जीवो अचरित्तो होदि णादब्बो।।१६३।। સમ્પત્તપડિવિä મિછત્ત નિવરહિ પરિદિયા' આહા! જુઓ ! આચાર્યો સંતો પણ નામ ભગવાનનું આપીને કહે છે. “નિવહિ પરિવટિયે ત્રણલોકના નાથ જિનવરદેવ સર્વજ્ઞ મહાવિદેહમાં બિરાજે છે એમણે આ કહ્યું છે. આહા..હા...! “વરસોયેબ નીવો મિચ્છાિિ ત્તિ વિવો? આમાંય કેટલોક ઊંધો ગોટો છે. ત્રણેમાં જિનવર, જિનવર, જિનવર નાખ્યા. નીચે હરિગીત. સમ્યક્તપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ મિથ્યાત્વી બને એમ જાણવું.૧૬ ૧. એમ જ્ઞાનપ્રતિબંધક કરમ અજ્ઞાન જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અજ્ઞાની બને એમ જાણવું.૧૬ ૨. ચારિત્રને પ્રતિબંધ કર્મ કષાય જિનદેવે કહ્યું, એના ઉદયથી જીવ અને ચારિત્રહીન એમ જાણવું. ૧૬૩. સમ્યક્તપ્રતિબંધક કરમ મિથ્યાત્વ જિનદેવે કહ્યું, એના હૃદયથી...” એટલે પ્રગટ થવાથી. ટીકા :- “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” જોયું ? ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ, એની સન્મુખની પ્રતીતિ, જ્ઞાન કરીને થવી એનું નામ સમ્યગ્દર્શન (છે). આહા..હા...! જે અનંત કાળમાં (એક) સેકંડ કર્યું નથી. “મુનિવ્રત ધાર અનંત બૈર, રૈવેયક ઊપજાયો મુનિ થયો, દિગંબર થયો, વસ્ત્રનો ટૂકડો ન રાખ્યો પણ આત્મજ્ઞાન, સમ્યગ્દર્શન વિના એ બધા ભવના ભ્રમણના કારણે થયા. આહા...હા...! અહીં શું કહે છે ? “સમ્યકત્વ કે જે મોક્ષના કારણરૂપ સ્વભાવ છે.” પરિણતિ હોં!
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy