SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ સમયસાર સિદ્ધિ-૬ પણ એમ ન જાણતાં... આહા..હા...! એ શુભ અને અશુભ ભાવ, પુણ્ય અને પાપના ભાવ, એમાં રોકાઈને, તેટલાને શેય બનાવીને, તેટલું જ જ્ઞાન મારું, એને જાણનારું જ્ઞાન તેટલો હું.... આહાહા..! અને એ રાગ છે એ મારું સ્વરૂપ છે, એ રાગ મારું કર્તવ્ય છે એમ પોતાના અપરાધથી ત્યાં રોકાય ગયેલો છે. આહાહા...! આકરી વાત છે, બાપુ ! વીતરાગમાર્ગ (બહુ ઝીણો). શું કહ્યું ? જુઓ ! ‘તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી.” એમ કીધું ને ? આહા...હા...! એ રાગ – પુણ્ય, દયા, દાન, વ્રત, ભક્તિ આદિના ભાવ, એ પુણ્ય છે, રાગ છે. એને જાણવામાં રોકાણું અને એ મારા છે એમ માનીને ત્યાં રોકાણો. આહાહા....! તેથી પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતું નથી. આહા..હા...! હવે વાત આવી પકડવી ક્યારે ? વાડાબંધી બાંધીને એમાં) પડી, જિંદગી ચાલી જાય છે. આ..હા...! ભગવાન ત્રણલોકનો નાથ જિનેશ્વરદેવ એમ કહે કે, પ્રભુ ! તું તો સર્વને તારા પૂર્ણ સ્વરૂપને જાણનારો છો ને ! એ સંપૂર્ણને જાણનારો છો એટલે સર્વ વિશ્વને જાણનારો છે, એમ. આહાહા..! વિશ્વમાં પોતે અને પર બેય આવી ગયા ને ! આહાહા...! એ ભગવાનઆત્મા અંદર ચૈતન્ય સર્વજ્ઞસ્વરૂપી છે. સર્વદર્શી, સર્વજ્ઞ કહ્યું ને? પાઠમાં એમ આવ્યું ને ? “સબૂ ગાળવરિલી' એ સર્વજ્ઞ અને સર્વદર્શી તેનો સ્વભાવ છે. ભગવાન સર્વજ્ઞ અને સર્વદર્શી પરમાત્મા અરિહંત થયા એ ક્યાંથી થયા ? એ દિશા) કંઈ બહારથી આવે છે ? આહાહા.! એ સર્વજ્ઞ, સર્વદર્શી એની શક્તિ, એનું સત્ત્વ, એનો સ્વભાવ છે. આહાહા...! એને સંપૂર્ણપણે, જે પોતાનું સ્વરૂપ છે તેને જાણવું જોઈએ... આહાહા...! એ પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણતો નથી. એને જાણવું જોઈએ, એને જાણતો નથી. આહા...હા.! સમજાય છે કાંઈ ? ઝીણી વાત છે, પ્રભુ ! વીતરાગ પરમેશ્વર ! એનો હુકમ, એની આજ્ઞા કોઈ જુદી જાતની છે. અત્યારે તો બધી ગડબડ ગડબડ (ચાલે છે). આખો રસ્તો ઊંધી લાઈને ચડી ગયો છે. આહા! કહ્યું? એ સર્વને દેખનારું, જાણનારુંનો અર્થ – પોતાના સંપૂર્ણ સ્વરૂપને જાણવુંદેખવું એ એનું સ્વરૂપ છે. આહાહા..! એને ન જોતાં, એ પુણ્ય ને પાપના, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના ભાવ થાય, ત્યાં જ્ઞાનની પર્યાયને રોકી, વસ્તુ તો વસ્તુ છે, (પણ) પર્યાયને ત્યાં રોકી. આહાહા...! મુમુક્ષુ – પોતાના ભગવાનને જોવાની વિધિ આપે બતાવી. ઉત્તર :- આ છે. ભગવાન ત્રણલોકનો નાથ પોકાર કરે છે ! આ.હા..હા..! સીમંધરસ્વામી ભગવાન મહાવિદેહમાં બિરાજે છે. એની આ વાણી છે. આહા..હા....! પ્રભુ બિરાજે છે. પાંચસો ધનુષનો દેહ છે, કોડ પૂર્વનું આયુષ્ય છે. વીસમા “મુનિસુવ્રત ભગવાનના વાડામાંથી પોતે કેવળજ્ઞાન પામ્યા છે. તે કાળે ત્યાં કેવળજ્ઞાન પામ્યા છે. અબજો વર્ષથી
SR No.008310
Book TitleSamaysara Siddhi 6
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2007
Total Pages599
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy