SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૨૧ થી ૧૨૫ ૨૯૫ જો અહીં એમ તર્ક કરવામાં આવે કે “પુદગલ કર્મ જે ક્રોધાદિ છે તે જીવને ક્રોધાદિભાવે પરિણમાવે છે” –શું કહે છે કે તારી એવી માન્યતા હોય કે પુગલકર્મ જે ક્રોધાદિ જડ છે ને, જડ એ જીવને ક્રોધ-માનપણે પરિણાવે છે કર્મનો ઉદય આવે એવું અહીં (જીવન) પરિણમાવે છે પરમાણું એ ઉદય આવીને આત્માને દોષ કરાવે છે, નહીં ? છે? ઝીણી વાત છે! જો આંહી આ તર્ક ઉપસ્થિત કરવામાં આવે કે પુગલકર્મ ક્રોધાદિક છે જડ, એ જડ એ જીવને ક્રોધાદિકભાવપણે પરિણમાવે છે. જડનો ઉદય જે છે એ આત્માને વિકારરૂપે પરિણાવે છે–આમ જો તમે કહો છો તો એનાથી બે દોષ આવે છે. “તેથી સંસારનો અભાવ થતો નથી”-શિષ્યનો પ્રશ્ન છે તો એનું નિરાકરણ બે પક્ષ લઈને આ પ્રકારે કરવામાં આવે છે. સાંભળો! પુગલકર્મ ક્રોધાદિક છે જડ તે સ્વયં અપરિણમતાને પર વડે પરિણાવી શકાય નહિ, શું કીધું? જે સ્વયં પરિણમતાને કે જે પુદ્ગલકર્મ ક્રોધાદિક છે, જડ એ જડ સ્વયં અપરિણમતાને પરિણાવી શકે નહિ.) જે કોઈ પરિણમતો નથી જીવ, એ જીવને ક્રોધાદિભાવરૂપે પરિણમાવે જડકર્મ આંહી આત્મા વિકારપણે ન પરિણમે અને ક્રોધપણે જડ છે એ ( જીવને) વિકારપણે પરિણમાવે તો એમાં આ કહે છે દેખો સ્વયં પુગલકર્મ ક્રોધાદિક છે તે સ્વયં અપરિણમતા જીવને ક્રોધાદિપણે પરિણમાવે? સ્વયં અપરિણમતાને પર વડે પરિણમાવી શકાય નહીં. કહ્યું? કે જીવમાં જે વિકાર થાય છે, ક્રોધ, માન, માયા, લોભ, ઇચ્છા એ જડક્રોધ કરાવે છે, આત્મા નથી પરિણમતો એને ક્રોધ (જડપ્રકૃતિ ) પરિણાવે છે કે શું પરિણમતાને પરિણાવે છે? કે નહિ પરિણમતાને પરિણાવે છે ક્રોધજડ? કે પરિણમતાને પરિણાવે છે જડ? આહાહા! ન્યાયથી વાત મૂકી છે. છે? પુદ્ગલકર્મ ક્રોધાદિક છે જડ-જડ તે સ્વયં અપરિણમતો આત્મા, પરિણમતો નથી, એવા બીજા જીવને ક્રોધાદિકભાવે પરિણમાવે છે? જડ. જડકર્મ આત્મામાં વિકારભાવે (આત્માને) પરિણમાવે છે કે સ્વયં પરિણમતા છે કે સ્વયં આત્મા વિકાર કરે ને જડકર્મ પરિણમાવે એવું છે? આહાહા ! બે પ્રશ્ન થયા, (શું?) કે જડકર્મ જે છે એ આત્મા વિકારરૂપે પરિણમતો નથી એને જડ પરિણમાવે છે? કે પોતે પરિણમે છે એને (જડકર્મ) પરિણમાવે છે? ( શ્રોતા:- સ્વયં પરિણમતાને કોણ પરિણમાવે એનું શું કામ છે?) એ માટે તો કહે છે. આત્મા વિકારપણે ન પરિણમતો હોય અને જડકર્મનો ઉદય એને વિકારપણે પરિણાવે તો તો તારી અપરિણમિત-જે પરિણમતા નથી એને કેમ પરિણમાવી શકે, અને પરિણમે છે પોતાનાથી જે વિકાર (પણે ) પરિણમે છે તો પરની અપેક્ષા ક્યાં રહી પોતાના કારણે વિકાર કરે છે એમાં પરની અપેક્ષા છે નહીં. લોજિકથી વાત કરે છે ભાઈ. વાણિયામાં આવું આવે નહીં, ક્યાંય વેપારમાં ધંધામાં એકલા પાપ કરે છે એમાં આવું ક્યાંથી આવે? આ તો ભગવાન ત્રિલોકનાથ એમ કહે છે કે પ્રભુ તું એમ માની લે, કે હું તો પરિણમનહીન છું-પરિણમન મારામાં નથી (અને) એ જડ છે એ મને પરિણમન કરાવે છેકર્મનો ઉદય છે એ મને દોષ કરાવે છે, તો જો એમ કહો તો એ પરિણમતાને પરિણમાવે છે કે નહીં પરિણમતાને પરિણાવે છે? જો પરિણમતાને પરિણાવે છે તો એવું હોય નહીં, સ્વયં પરિણમે છે એને પરની અપેક્ષા
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy