SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८४ સમયસાર સિદ્ધિ ભાગ-૧ જીવ, દર્શન જ્ઞાન ચારિત્રપર્યાયમાં ઠરે તેને સ્વસમય કહે છે. આંહી ઠર આમ. સમજાય છે? આહાહા !! જીવ જે અનાદિથી કર્મના પ્રદેશે એટલે (વિ)ભાવ એવો વિકાર એમાં ઠરે છે, એ તો અનાદિ છે. એ તો અજીવ છે. આહાહા ! પણ જે જીવ પોતાની સંપદાને, પૂરણ સંપદાને જ્ઞાનમાં જાણી. પ્રતીત કરી અને એમાં ઠરે છે, જીવ એમાં ઠરે છે. આહાહા ! દર્શન જ્ઞાન ચારિત્રમાં જીવ ઠરે છે. દર્શન જ્ઞાન ચારિત્ર જીવને આશ્રયે થાય છે, એમ ન લેતાં. આહાહાહા ! એ આમ રાગમાં ઠરતો, એ હવે સ્વભાવમાં ઠરે છે એમ બતાવવું છે. આહાહા! બહુ થોડા શબ્દો, આ તો નિવૃત્તિના મારગ છે બાપુ, આહાહા! સ્વસમય જાણ” જે ભગવાન પ્રભુ (નિજાત્મા) પૂરણ સંપદાથી ભરેલ છે, એ જીવ પોતે પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં ઠરે છે આંહી, જે અનાદિથી રાગમાં વિકારમાં ઠરતો, એની વાત પહેલી ન લેતાં, એની પછી લેશે. પહેલી તો આંહી શરૂઆત કરવી છે, અને શરૂઆત કરનારાઓને કરવી છે, એથી એણે આ જ વાત લીઘી પહેલી. પહેલા પદમાં આ લીધું નીવો ચરિતવંસMMIT ડિવો' પછી ઓલી વાત કરશે અનાદિની. આહાહા! તેને નિશ્ચયથી એટલે હિ –ખરેખર. જે જીવ પોતાની નિર્મળ પર્યાયમાં ઠરે છે જીવ જીવમાં રહે છે, દ્રવ્યમાં એમ નહીં, જીવ જીવના દ્રવ્યમાં રહે છે એમ નહીં, દ્રવ્ય તો રહેલું જ છે, પણ એ દ્રવ્ય જીવ પોતાના સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં જીવ દ્રવ્ય ઠરે છે, તેને સ્વસમય નામ આત્મા જાણ, તે આત્મા છે. હું શબ્દ એમાં ? આહાહા ! જીવ, જીવમાં રહે છે ત્રિકાળી એમ નહીં, ત્રિકાળી તો રહેલો (જ) છે. અને રહેલાને જાણ્યું કોણે? રહ્યો છે ઈ અંદર છે એવું જાણ્યા વિના રહ્યો છે એવું જાણ્યું કોણે? ( શ્રોતા પર્યાયે). આહાહા ! પરમ સ્વભાવભાવ ભગવાન આત્મા પોતામાં રહ્યો છે, પણ રહ્યો છે એવું જાણ્યું કોણે? રહ્યો છે એ રહ્યો છે (શું) એના ધ્રુવે જાણું? આહાહા! જીવ, ત્રિકાળ પરમ સ્વભાવભાવપણે રહેલો છે. એવું જેણે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું, એનું જેણે પ્રતીત કર્યું, એમ જેણે ઓળખીને પ્રતીત કરી આ છે એમ જાણીને પ્રતીત કર્યું. એ આત્મા પ્રતીતમાં આવ્યો! એ આત્મા, આત્માના દ્રવ્યમાં તો હતો. પણ એની પ્રતીતમાં આવ્યો એ. આહાહા!‘વંસUT 'માં આવ્યો. એ એના જ્ઞાનમાં આવ્યો છે. આહાહા! ભગવાન આત્મા પૂરણ જ્ઞાનથી તો (ધ્રુવ) છે પણ “છે” એવું જાણ્યું કોણે? જાણ્યા વિના એ “છે” એમ માન્યું કોણે ? આહાહા ! રમણિકભાઈ ? આવું ઝીણું છે, ‘આ’ ઝીણું. આહાહા ! ગજબ વાત છે! એક એક ગાથા ને એક એક પદ.. શિવપદના ભણકારા વાગે છે. આહાહા ! એ જીવ છે. અનંત અપરિમિત ગુણોનો ભંડાર પણ જેણે જાણ્યું ને, માન્યું નથી એને ક્યાં છે? આહાહા ! કહ્યું 'તું ને.. પ્રશ્ન થયો હતો ને આંહી હમણાં વારીયા છે, એક ત્રિભોવનભાઈ એણે પ્રશ્ન કર્યો હતો, કે પ્રભુ આપ કારણપરમાત્મા કહો છો જીવને.. કારણપરમાત્મા ” કારણ જીવ, કારણ પ્રભુ તો કારણ હોય તો એનું કાર્ય આવવું જોઈએ પણ કાર્ય તો આવતું નથી, કારણ પરમાત્મા તો છે તમે કહો છો. પ્રશ્ન થયો 'તો રાજકોટમાં. આ કાઠિયાવાડમાં એમના પિતાશ્રી વિરજીભાઈને દિગમ્બરના શાસ્ત્રોનો અભ્યાસ પહેલો એમનો જ હતો. આ કાઠિયાવાડમાં વીરજીભાઈ વકીલ હતા ૯૦૯૧/૯ર વરસે ગુજરી ગયા. એમના દિકરાનો પ્રશ્ન હતો, કારણપરમાત્મા Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy