SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૨ સમયસાર સિદ્ધિ ભાગ-૧ મોહતેના ઉદય અનુસાર પ્રવૃત્તિના આધીનપણાથી, દર્શનશાનસ્વભાવમાં નિયત વૃત્તિરૂપ આત્મતત્ત્વથી છૂટી પારદ્રવ્યના નિમિત્તથી ઉત્પન્ન મોહરાગદ્વેષાદિ ભાવો સાથે એકત્વગતપણે (એકપણું માનીને) વર્તે છે ત્યારે પુદગલકર્મના પ્રદેશોમાં સ્થિત હોવાથી યુગપ પરને એકત્વપૂર્વક જાણતો તથા પરરૂપે એકત્વપૂર્વક પરિણમતો એવો તે “પરસમય ” એમ પ્રતીતરૂપ કરવામાં આવે છે. આ રીતે જીવ નામના પદાર્થને સ્વસમય અને પરસમય-એવું ઢિવિઘપણું પ્રગટ થાય છે. ભાવાર્થ- જીવ નામની વસ્તુને પદાર્થ કહેલ છે. “જીવ” એવો અક્ષરોનો સમૂહે તે પદ” છે અને તે પદથી જે દ્રવ્યપર્યાયરૂપ અનેકાંતસ્વરૂપપણું નિશ્ચિત કરવામાં આવે તે પદાર્થ છે. એ જીવપદાર્થ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યમયી સત્તાસ્વરૂપ છે, દર્શનશાનમયી ચેતના સ્વરૂપ છે, અનંતધર્મસ્વરૂપ દ્રવ્ય છે, દ્રવ્ય હોવાથી વસ્તુ છે, ગુણપર્યાયવાળો છે, તેનું સ્વપરપ્રકાશકશાન અનેકાકારરૂપ એક છે, વળી તે (જીવપદાર્થ) આકાશાદિથી ભિન્ન અસાધારણ ચૈતન્યગુણસ્વરૂપ છે અને અન્ય દ્રવ્યો સાથે એક ક્ષેત્રમાં રહેવા છતાં પોતાના સ્વરૂપને છોડતો નથી. આવો જીવ નામનો પદાર્થ સમય છે. જ્યારે તે પોતાના સ્વભાવમાં સ્થિત હોય ત્યારે તો સ્વસમય છે અને પરસ્વભાવ-રાગદ્વેષમોહરૂપ થઈને રહે ત્યારે પરસમય છે. એ પ્રમાણે જીવને દ્વિવિધપણું આવે છે. પ્રવચ ગાથા - ૨ તા. ૧૫-૬-૧૯૭૮ ગુરુવાર પ્રથમ ગાથામાં સમયનું પ્રાભૂત કહેવાની પ્રતિજ્ઞા કરી” સિદ્ધાંત-પદાર્થને કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં એ આકાંક્ષા થાય-ઈચ્છા થાય કે “સમય” એટલે શું?” સમય કહેવો કોને? તમે સમયપ્રાભૂત કહેવા માગો છો તો સમય કહેવો કોને? શું તમે કહેવા માગો છો ? સમય એટલે શું? આહા...! કે તેથી હવે પહેલાં સમયને જ કહે છે” –કોને સમય કહેવો એની વ્યાખ્યા બીજી ગાથાથી શરૂ કરે છે. આહાહા! “નીવો' ઉપાડયું આંહીથી પહેલું “જીવો” ન્યાંથી ઉપાડ્યું! “નીવો' તે જીવઃ છે ને વ્યુત્સર્ગ...? જીવને કહેવું છે આંહી ! અને તેથી ૪૭ શક્તિમાં પહેલી શક્તિ “જીવત્વશક્તિ” લીધી છે. એ આંહીથી ઉપાડી છે. જીવ જીવત્વ શક્તિથી બિરાજે છે ત્રિકાળ. ભગવાન આત્મા ત્રિકાળ પોતાના જીવત્વશક્તિ એટલે ગુણ એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ ને અનંત બળ એનાથી તે જીવનું જીવન અનાદિથી છે. એવો ‘નીવો' એમ ઉપાડયું. આમ સંસ્કૃતનો વ્યુત્સર્ગ થઈ ગ્યો ‘નીવો' આમ કહીએ તો જીવો જે જીવ છે તે રીતે જીવો, એ જીવતર શક્તિ કીધી જે રીતે જીવ છે વસ્તુ. આહાહા ! તે રીતે જીવો અને જીવ કહીએ. આહાહાહા ! આ શરીરથી ને. ઇંદ્રિયોથી ને દશ પ્રાણથી જીવે એ જીવ નહીં. આહાહા! નીવો વરતવંસળTIMડિવો– નીવૉ વંસTMાણ વંસ ડિવો – ન્યાં નીવો' આવ્યું ને આંહી તિવો' આવ્યું!તે દિ સંસમયે નાણાં તેને સમય જાણ. આહાહાહા ! આદેશ કર્યો છે. ભગવાન કુંદકુંદાચાર્ય જાણ” એમ કહે છે. “જાણ” તો એનો અર્થ ઈ છે કે અજાણને જાણ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy