SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર સિદ્ધિ ભાગ-૧ તે નથી. વ્યવહારનયનો વિષય ત્રિકાળી વસ્તુ નથી. એનો વિષય વર્તમાન ભેદ કે રાગનો ભેદ પરનો કે પોતામાં ગુણ ગુણીનો ભેદ એને અહીંયા વ્યવહારનય અસત્યાર્થ કહ્યો. છે ને? બધોય અભૂતાર્થ હોવાથી એટલે કે જૂઠો હોવાથી એમ કીધું આંહી તો. એટલે શું? જે આત્મામાં રાગ જણાય છે-પર્યાયમાં છે. વસ્તુમાં નથી. અને તેથી તે રાગ છે તેને અસદ્ભૂત કહીએ-અસભૂત, વસ્તુમાં નથી, પર્યાયમાં છે. એથી તેને અસભૂત કહીએ અને એના બે પ્રકાર. રાગ અસદભૂત છે રાગ એના બે પ્રકાર. વસ્તુમાં નથી પણ પર્યાયમાં છે. એથી એને વ્યવહાર કહ્યો ને અસભૂત કહ્યો. એટલે કે જે રાગ થાય છે પર્યાયમાં છે, એને અસદભૂત ઉપચાર નય કહે છે. કેમ? છે એમ કહેવું-એ ઉપચાર છે. અને એને જાણનારું જ્ઞાન એ અસદભૂત વ્યવહારનય છે. આહાહા ! રાગ છે પર્યાયમાં પણ અસભૂત છે વસ્તુમાં નથી, પણ પર્યાયમાં છે એ રાગને જાણવાના બે પ્રકાર. (રાગ ) છે એ અસભૂત છે. અને અસભૂતનયનો એ વિષય છે. પણ છે ના બે પ્રકાર. એક જાણવામાં આવે છે બુદ્ધિપૂર્વક રાગ અને એક જાણવામાં નથી આવતો છતાં છે એવું જ્ઞાન કરવું. છે એ જાણવામાં આવે એને અસભૂત ઉપચાર કહે છે અને રાગ છે પણ જાણવામાં આવતો નથી પણ છે તેથી તેને અસદભૂત અણઉપચાર કહે છે. આવું કંઈ ચોપડામાં આવ્યું ન હોય. સંપ્રદાયમાં હાલતું નો હોય; દયા પાળો ને વ્રત કરો ને ભક્તિ કરો ને બાપુ! મૂળ ચીજ. વસ્તુ જે છે આત્મા એ ત્રિકાળી તો જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ સહજાન્મસ્વરૂપ એ તો એક જ ભૂતાર્થ છે. છતી ચીજ છે; કે જેને વિષય (ધ્યેય) બનાવવાથી, જેને વિષય બનાવવાથી સમ્યગ્દર્શન થાય. એટલે કે પરમ સત્ય વસ્તુ જે ધ્રુવ સામાન્ય જ્ઞાયક એકરૂપ ભાવ એને વિષય બનાવવાથી એને ધ્યેયમાં લેવાથી સમ્યગ્દર્શન થાય. એ ભૂતાર્થ વસ્તુ ત્રિકાળ છે એટલે એનો આશ્રય કરવાથી સત્ય દર્શન થાય પર્યાયમાં, સમ્યગ્દર્શન. પણ, જે પર્યાયમાં રાગ છે, એ ત્રિકાળમાં વસ્તુમાં નથી. માટે તેને અસભૂત કહી અને વિદ્યમાન નથી એમ કહ્યું, અસત્યાર્થ કહ્યું એ છે જ નહીં. કઈ અપેક્ષાથી ? ત્રિકાળમાં નથી, માટે તે નથી એમ ગૌણ કરીને નથી કહ્યું, છે. ન હોય તો તો રાગ છે, જ્ઞાનીને પણ રાગ તો હોય છે. આહાહા! જ્ઞાનીને પણ આત્મા જ્ઞાયક સ્વરૂપ છે પૂરણ આનંદ અભેદ સ્વરૂપ છે. એવી દ્રવ્યદૃષ્ટિ ધ્રુવદેષ્ટિ હોવા છતાં પણ જ્ઞાનીને રાગ તો હોય છે. રાગ હોય છે તેને જાણવાના બે પ્રકાર. એક જાણવાના ખ્યાલમાં આવે એવો રાગ, પણ વસ્તુમાં નથી માટે “અસભૂત વ્યવહાર ઉપચાર” અને ખ્યાલમાં ન આવે એવો રાગ, સ્વરૂપમાં નથી માટે અસભૂત પણ ખ્યાલમાં આવતો નથી છતાં છે એમ કહેવું એ “અણઉપચાર અસભૂત છે. આરે! આવી વાતું છે. સમજાણું કાંઈ? વ્યવહારનયના ચાર પ્રકાર (છે). જે નથી એમ અહીં કહ્યું છે; નથી એટલે? કે ત્રિકાળમાં એ નથી. અને ત્રિકાળની અપેક્ષાએ, ત્રિકાળના અભેદની અપેક્ષાએ જ્યારે ત્રિકાળીને સત્ય કહેવું છે ત્યારે તે આ ભેદને અસત્ કહીને-ગૌણ કરીને અસત્ કહીને એને વ્યવહારનયનો વિષય ગણવામાં આવ્યો છે. આ તો અલૌકિક મંત્રો છે બાપા! આહાહા ! સમજાણું કાંઈ ? આ મુની રકમની વાત Please inform us of any errors on [email protected]
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy