SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૧૧ ૩૭૩ જાણે છે એમ કહેવું તે ઉપચાર છે. આહાહાહા ! એ વ્યવહારનય સભૂત પણ અસત્યાર્થ છે. ગૌણ કરીને તેને જુહી ઠરાવી છે. અને ચોથી (નય) એ “જ્ઞાન તે આત્મા” ઓલું તો જ્ઞાન રાગને જાણતું હતું એટલું કહેવું હતું. તે પોતાનું પણ (રાગને) જાણે છે એમ કહેવું તે ઉપચાર. હવે એ “જ્ઞાન તે આત્મા” તેનું નામ “સબૂત અણઉપચાર વ્યવહારનય' કહેવામાં આવે છે. એ બધાયના અર્થમાં આ ચાર છે. આ “બધોય” શબ્દ જે પડ્યો છે એના આ ચાર અર્થ છે. એ ચારેય નયો અસત્યાર્થ હોવાથી–અસત્યાર્થ નામ તે ત્રિકાળી ચીજ નથી, ક્ષણિક છે અને તેનો આશ્રય કરતાં રાગ થાય છે, માટે તે નયને તે વસ્તુ ચાર હોવા છતાં તેને ગૌણ કરીને અસત્ય છે તેમ કહેવામાં આવ્યું છે. આકરી ગાથા છે આ. સમજાણું કાંઈ ? ગૌણ કરીને અસત્યાર્થ હોવાથી/અવિદ્યમાન, લ્યો જોયું, નથી તેને તે કહે છે. છે તો ખરું. સભૂત જ્ઞાન.... ત્યાં સદ્ભૂત જ્ઞાન-ઉપચાર, સભૂત જ્ઞાન અનુપચાર એમ કહ્યું. પણ ત્રિકાળની અપેક્ષાએ, એ સભૂત જે કહ્યું'તું એને પણ નથી અસત્ય છે, એમ ગૌણ કરીને તેને “નથી ” એમ કહ્યું છે. આહાહા ! સમજાણું કાંઈ? અવિદ્યમાન” જાણે નથી મારે આશ્રય કરવા લાયક ચીજ ( વ્યવહારનય) એ નથી, માટે નથી”. છે ભલે, વસ્તુ વસ્તુ તરીકે હો. આહાહા ! એ અસત્ય છે. ત્રિકાળી સની અપેક્ષાએ એ ચારે નયનો વિષય તે ગૌણ કરીને અસત્ય કીધો છે. અભૂત અર્થને પ્રગટ કરે છે, નથી સ્વરૂપમાં તેને તે નય પ્રગટ કરે છે. સભૂત વ્યવહારનયનું ભેદપણું અને અસભૂતનું ત રાગનું એ વસ્તુમાં નથી, માટે તે અભૂત અર્થને પ્રગટ કરે છે. એનામાં નથી વસ્તુમાં તેને એ કહે છે, માટે તેને વ્યવહાર કહીને જૂઠો કહ્યો છે. વિશેષ કહેવાશે. ( પ્રમાણ વચન ગુરુદેવ !). પ્રવચન ન. ૩૭ ગાથા-૧૧ તા. ૧૮-૭-૭૮ મંગળવાર, અષાઢ સુદ-૧૩ સં. ૨૫૦૪ સમયસાર, અગિયાર ગાથા. આ જૈનશાસનનો સાર છે-પ્રાણ છે. આને સમજ્યા વિના બીજું ગમે તેટલું સમજે ઈ કોઈ વાસ્તવિક જ્ઞાન નથી. આ નિશ્ચય ને વ્યવહાર બેય બરાબર જાણવા જેવા છે. જાણીને નિશ્ચયનો વિષય જે જ્ઞાયક ત્રિકાળ તે આદરણીય છે અને વ્યવહારનો વિષય ભેદ એ જાણવા લાયક છે-આદરવા લાયક નથી. હવે કહે છે “વ્યવહારનય ” વ્યવહારનય એટલે? કે જે ભેદને વિષય કરે અને ભેદમાં પણ ગુણ ગુણીનો ભેદ અથવા રાગને જાણવાનો એવો ભેદ અથવા રાગ છે એવું જાણવું એવો જે ભેદ એને વ્યવહારનય કહે છે. ઝીણી વાત છે ભાઈ ! વ્યવહારનય એની વ્યાખ્યા એટલી, બધોય વ્યવહારના અધ્યાત્મની અંદર ચાર ભેદ પાડયા છે. એ અભૂતાર્થ હોવાથી એમ શબ્દ છે. “અભૂતાર્થ છે' એમ નથી કીધું. “અભૂતાર્થ હોવાથી અવિદ્યમાન, અસત્ય, અભૂત અર્થને પ્રગટ કરે છે. એટલે ? વ્યવહારનય બધોય અસત્ય હોવાથી અસત્યનો અર્થ? ત્રિકાળી વસ્તુ તરીકે Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy