SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા – ૬ ૨૩૧ તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે. ભાવ લેવો છે ને? સનું સત્પણું, સત્ પ્રભુ, તેનું સારું જ્ઞાયકપણું છે એનું. આહાહાહા ! સત્ છે એવો જે ભગવાન આત્મા એનું જ્ઞાયકપણું તે તેનું સત્ત્વ છે ભાવ છે. આહા ! એનું સત્વ ને એનો ભાવ આ, પુણ્ય પાપના ભાવ થાય, દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધ એ એનું સત્ત્વ નથી, એ સનું સત્ત્વ નથી, સત્નો એ કસ નથી. આહાહા ! સત્ પ્રભુ છે એનો કસ તો જ્ઞાયકપણું તેનું છે. આર. આરે આવી વાતું હવે, નવરાશ ન મળે, ફૂરસદ મળે નહીં. બાપુ! કરવું પડશે ભાઈ ! એ નિવૃત્તિ સ્વરૂપ પડ્યું છે. આહાહા ! આહા ! ઓલામાં આવે છે ને? નયનની આળસે રે મેં નીરખ્યા ન નયને હરિ, મારી નયનને આળસે રે મેં નીરખ્યા ન નયને હરિ હરિ (નામ) આત્મા જે રાગ ને દ્વષને હરનારો એવો હરિ પ્રભુ એ નયનની આળસે જોયો નહીં એણે. આહાહાહા ! એ પર્યાય ને મલિનતાની સમીપમાં પડ્યો છે પ્રભુ પૂરણ જ્ઞાયક. આહાહા ! પણ એને જોવાને ફુરસદ ન લીધી. આહાહા ! જોનારને જોવાનું મળ્યું ત્યાં રોકાઈ ગયો એ બહારનું, આહાહા! પણ જેની સત્તામાં જોવાય છે, તેની સત્તા જોવા નવરો ન થયો. સમજાણું કાંઈ? આહાહાહા ! હવે આવો મારગ હવે. આમાં કરવું શું? કાંઈ સૂઝ પડતી નથી. આગમ પ્રમાણે કહે કે વ્રત કરવું ને દયા પાળો ને પૈસા દાનમાં આપો. મંદિર બનાવો, એવું કહો તો સમજાય તો ખરું? શું સમજવું. એ તો રાગ છે. એમાં સમજવું તું શું? અને રાગપણે પ્રભુ કોઈ દિ' થયો નથી, જ્ઞાયક. એ તો પર્યાયપણે થયેલો છે. આહાહાહા ! જો દ્રવ્ય પોતે રાગપણે થાય તો તો થઈ રહ્યું દ્રવ્ય અશુદ્ધ થઈ ગયું એટલે કે દ્રવ્ય જ પોતે રહ્યું નહીં. આહાહા! એ તો ચીજ છે એ છે. જ્ઞાયકપણે પ્રભુ આત્મા બિરાજમાન બધા આત્માની અંદરમાં, જ્ઞાયકપણું છે તે છે અંદર. આહાહાહા ! “છે” તેની દૃષ્ટિ કરવી છે ને પ્રભુ, આહાહાહા ! પર્યાયની દૃષ્ટિ પણ જ્યારે આ દ્રવ્યદૃષ્ટિ થાય યથાર્થ પછી પર્યાયને જોવે તો મલિનતા દેખાય, તે જ્ઞાનનું ય છે ઈ. આહાહા ! સમજાણું કાંઈ ? અને એમે ય જાણે કે આ પરિણમન મારી પર્યાયમાં છે, મારાં દ્રવ્યમાં નથી. પણ પુણ્ય, પાપના ભાવ છે, મારે થાય છે એનું પરિણમન કરનારો હું કર્તા છું નય જ્ઞાનથી. આહાહા! પણ વસ્તુદૃષ્ટિએ જોતાં તો જ્ઞાયકપણું તે જ્ઞાયકપણું રહ્યું એને જુએ એને જાણે (ને) માને પછી એની પર્યાયમાં મલિનતા છે તેનું જ્ઞાન તેને સાચું થાય. આહા! મારગ. આવું આકરું કામ. અપવાસ કરી નાખે, ચાર છ આઠ દસ કરી નાખે. શરીરના બળિયા હોય ઈ અપવાસ કરે “ઉપવાસ' નહીં હોં? “ઉપવાસ' તો ભગવાન જ્ઞાયક ભાવ છે તેનાં સમીપમાં જઈને વસવું પર્યાયમાં તેને આદરવો, આહાહા! અને અતીન્દ્રિય આનંદની દશા પ્રગટ થાય એને “ઉપવાસ” કહે છે. બાકી બધા “અપવાસછે. રાગમાં વસીને, ધર્મ અપવાસ કર્યો એમ માને એ તો માઠોવાસ છે, ભગવાન જ્ઞાયકભાવ છે એને તો જોયો નથી, જેનું મહા અસ્તિત્વ છે, જેનું મહા હોવાપણું છે, મહાન માહાભ્ય સ્વરૂપ જેનું છે, એને તો જોયો નથી, માન્યો નથી. આહાહા! આહાહા ! “દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું “જ” છે' એકાંત છે? હા, નિશ્ચય નય છે તે સમ્યક એકાંત છે. સમજાણું કાંઈ? આહાહાહા ! પ્રભુ અંદર બિરાજમાન જેને કેવળજ્ઞાન થાય, એ પર્યાય ક્યાંથી આવશે પ્રભુ? ક્યાંય બહારથી આવશે? એ અંદરમાં શક્તિ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy