SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૩) સમયસાર સિદ્ધિ ભાગ-૧ અશુદ્ધપણે પરિણમે એ પણ પર્યાય શુદ્ધની પર્યાય કાંઈ દ્રવ્યમાં ગરી ગઈ નથી. આહાહાહા ! સમજાય છે કાંઈ ? આવું સ્વરૂપ છે ભાઈ, તારું સ્વરૂપ જ એવું છે પ્રભુ તને ખબર નથી. આહાહા ! “અને તને દૃષ્ટિ કરવા માટે અવકાશ છે”કેમ? એ તો જ્ઞાયકપણે રહ્યો છે, એને માનવો એમાં તને અવકાશ છે. આહાહાહાહા ! એ તો જ્ઞાયકપણે પ્રભુ તો ત્રિકાળ રહેલો છે. આહાહાહા ! માટે દૃષ્ટિનો વિષય છે એ તો એવો ને એવો રહેલો છે, રહ્યો છે માટે દૃષ્ટિ કરી શકીશ તું. આહાહાહાહા ! મલિન થઈ ગ્યો હોય ને... શુદ્ધતા માનવું હોય તો તો મુશ્કેલી. ઈ તો પર્યાયમાં મલિન છે. આહાહાહાહા ! પહેલી વાતમાં પહેલાં સમ્યગ્દર્શનનાં જ ઠેકાણાં નથી જ્યાં. આહાહા ! જેની ભૂમિકા સમ્યગ્દર્શનથી ધરમની ભૂમિકા ઉત્પન્ન થાય છે, એ વસ્તુ જ જ્યાં નથી અને આ બધાં વ્રત ને તપ કરે ઉપસર્ગ સહન કરે ને પરિષહ સહન કરે ને.. એ બધું થોથાં છે, સંસાર ખાતે છે પ્રભુ. આહાહા ! દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે ” એ તો દ્રવ્ય તો, જ્ઞાયકભાવે છે, એ દૃષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ તને નજરે પડશે. આહાહાહા ! લ્યો આજ આવ્યા? (દાકતર છે હોમીયોપથી) દાક્તર હોમીયોપથી સમજાણું? શું કહ્યું? કે જે આત્મા છે એ જ્ઞાયકભાવજાણક્રસ્વભાવ ભાવ એ તો ત્રિકાળ છે. એની વર્તમાન દશામાં મલિનતા છે ઈ તો દશાની પર્યાયમાં મલિનતા છે વસ્તુ છે એ તો જ્ઞાયક ભાવે ત્રિકાળ રહેલી છે. એ જ્ઞાયકભાવ કોઈ દિ' મલિન થયો નથી, જ્ઞાયકભાવ કોઈ દિ' અપૂર્ણ રહ્યો નથી. શાકભાવ કોઈ દિ' પરપણે થઈને અશુદ્ધતા એને લાગૂ પડે એમ થયું જ નથી. આહાહા! એ જ્ઞાયકભાવ ત્રિકાળ છે એને આવરણ નથી. આહાહાહા ! એ તો, જ્ઞાયક પ્રભુ છે, વસ્તુ છે ને? ચૈતન્ય વસ્તુ છે ને? જાણક સ્વભાવ જાણક સ્વભાવ.. જાણક સ્વભાવ, એવી નિત્યાનંદ પ્રભુ ધ્રુવ અણઉત્પન્ન ને અવિનાશી એવી ચીજ છોને? આહાહા! તો તને અવકાશ છે. કેમકે જ્ઞાયકભાવ, જ્ઞાયકપણે રહેલો છે. તો તેની દષ્ટિ કરવાને અવકાશ છે તને, એ જ્ઞાયકની દૃષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. આહાહા ! એ મલિન થઈ ગ્યો હોય ને જ્ઞાયકપણે માનવો હોય, તો તો એને અવકાશ સમ્યગ્દર્શનનો ન રહે. આહાહા ! પણ પ્રભુ તો અંદર ચૈતન્ય સ્વરૂપ જે નિત્યાનંદ પ્રભુ એ તો જ્ઞાયકપણે- તત્ત્વપણે જાણકપણે ત્રિકાળ છે. એની વર્તમાન દશા, હાલત, પર્યાય એમાં મલિનપણું આ પુણ્ય પાપનું દેખાય છે. એ પુણ્ય પાપની મલિનતાપણે જ્ઞાયક ત્રિકાળ છે એ થયો નથી કોઈ દિ'. આહાહા! કેમકે એમાં પર્યાય- મલિનતાનો પ્રવેશ નથી, તેમ તે મલિનપર્યાયને જ્ઞાયકભાવ તે અડતો ય નથી. આહાહા ! આ તે કંઈ વાત, આકરી વાત છે બાપુ! એ જ્ઞાયકપણું દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, “જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું જ છે' “જ્ઞાયકપણું” જોયું? આહાહા ! એનો સ્વભાવ જાણવું, સ્વભાવપણું છે ઈ, સત્ પ્રભુ જે આત્મા સચ્ચિદાનંદ, ચિત્ નામ જ્ઞાન ને આનંદનું સત્ એ તો ત્રિકાળી જ્ઞાન ને આનંદ સ્વરૂપે જ બિરાજમાન છે. આહાહા ! દ્રવ્યદૃષ્ટિથી જોવામાં આવે તો, એ કાયમ રહેલું તત્ત્વ છે. વર્તમાન દશામાં મલિનતા છે એને ન જોવામાં આવે અને કાયમ રહેલી ચીજ જે છે વસ્તુ જ્ઞાયક ધ્રુવ એને જોવામાં આવે તો Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008305
Book TitleSamaysara Siddhi 1
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy