________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૫૯૨
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
[પરિશિષ્ટમ]
(અનુદુમ) अत्र स्याद्वादशुद्ध्यर्थ वस्तुतत्त्वव्यवस्थितिः। उपायोपेयभावश्च मनाग्भूयोऽपि चिन्त्यते।। २४७ ।।
[ પરિશિષ્ટ]
(અહીં સુધીમાં ભગવાન કુંદકુંદાચાર્યદેવની ૪૧૫ ગાથાઓનું વ્યાખ્યાન ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે કર્યું અને તે વ્યાખ્યાનમાં કળશરૂપે તથા સૂચનિકારૂપે ૨૪૬ કાવ્યો કહ્યાં. હવે ટીકાકાર આચાર્યદવે વિચાર્યું કે આ શાસ્ત્રમાં જ્ઞાનને પ્રધાન કરીને જ્ઞાનમાત્ર આત્મા કહેતા આવ્યા છીએ; તેથી કોઈ તર્ક કરશે કે “જૈનમત તો સ્યાદ્વાદ છે; તો પછી આત્માને જ્ઞાનમાત્ર કહેવાથી શું એકાંત આવી જતો નથી? અર્થાત્ સ્યાદવાદ સાથે વિરોધ આવતો નથી? વળી એક જ જ્ઞાનમાં ઉપાયતત્ત્વ અને ઉપયતત્ત્વ-એ બન્ને કઈ રીતે ઘટે છે?' આમ તર્ક કોઈને થશે. માટે આવા તર્કનું નિરાકરણ કરવાને ટીકાકાર આચાર્યદેવ હવે પરિશિષ્ટરૂપે થોડું કહે છે. તેમાં પ્રથમ શ્લોક કહે છે:-)
શ્લોકાર્થઃ- [શત્ર] અહીં [ચા–શુદ્ધિ–ઝર્થ ] સ્યાદ્વાદની શુદ્ધિને અર્થે [ વસ્તુ-તત્ત્વ-વ્યવસ્થિત:] વસ્તુતત્ત્વની વ્યવસ્થા [૨] અને [૩પાય-૩ય–ભાવ:] (એક જ જ્ઞાનમાં ઉપાયપણું અને ઉપયપણું કઈ રીતે ઘટે છે તે બતાવવા) ઉપાય-ઉપય ભાવ [ મનાવ ભૂય: ]િ જરા ફરીને પણ [ રિન્યતે] વિચારવામાં આવે છે.
ભાવાર્થ-વસ્તુનું સ્વરૂપ સામાન્યવિશેષાત્મક અનેક ધર્મસ્વરૂપ હોવાથી તે સ્યાદવાદથી જ સાધી શકાય છે. એ રીતે સ્યાદ્વાદની શુદ્ધતા (-પ્રમાણિક્તા, સત્યતા, નિર્દોષતા, નિર્મળતા, અદ્વિતીયતા) સિદ્ધ કરવા માટે આ પરિશિષ્ટમાં વસ્તુનું સ્વરૂપ વિચારવામાં આવે છે. (તેમાં એમ પણ બતાવવામાં આવશે કે આ શાસ્ત્રમાં આત્માને જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે વિરોધ આવતો નથી.) વળી બીજું, એક જ જ્ઞાનમાં સાધકપણું તથા સાધ્યપણું કઈ રીતે બની શકે તે સમજાવવા જ્ઞાનનો ઉપાયઉપયભાવ અર્થાત્ સાધકસાધ્યભાવ પણ આ પરિશિષ્ટમાં વિચારવામાં આવે છે. ૨૪૭.
(હવે પ્રથમ આચાર્યદવ વસ્તુસ્વરૂપના વિચાર દ્વારા સ્યાદ્વાદને સિદ્ધ કરે છે:-)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com