SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ Version 002: remember to check http://www.AtmaDharma.com for updates ૫૧૬ સમયસાર [ ભગવાનશ્રીકુંદકુંદ (ન્ડિીક્રાન્તા) रागद्वेषद्वयमुदयते तावदेतन्न यावत् ज्ञानं ज्ञानं भवति न पुनर्बाध्यतां याति बोध्यम्। ज्ञानं ज्ञानं भवतु तदिदं न्यक्कृताज्ञानभावं भावाभावौ भवति तिरयन् येन पूर्णस्वभावः।। २१७ ।। ફરી આ જ અર્થને દઢ કરે છે: શ્લોકાર્ધઃ- [ શુદ્ધ-દ્રવ્ય–સ્વરસ–ભવનાત્] શુદ્ધ દ્રવ્યનું (આત્મા આદિ દ્રવ્યનું ) નિજરસરૂપે (અર્થાત્ જ્ઞાન આદિ સ્વભાવે ) પરિણમન થતું હોવાથી, [ sકન્ય–દ્રવ્ય વિ સ્વભાવસ્થ ભવતિ] બાકીનું કોઈ અન્યદ્રવ્ય શું તે (જ્ઞાનાદિ) સ્વભાવનું થઈ શકે ? (ન જ થઈ શકે.) [ય િવા સ્વભાવ: વિ તરસ્ય રચાત્ ] અથવા શું તે ( જ્ઞાનાદિ સ્વભાવ) કોઈ અન્યદ્રવ્યનો થઈ શકે? ન જ થઈ શકે. પરમાર્થે એક દ્રવ્યને અન્ય દ્રવ્ય સાથે સંબંધ નથી.) [ળ્યોના મુવું નયિતિ] ચાંદનીનું રૂપ પૃથ્વીને ઉજ્વળ કરે છે [ ભૂમિ: તસ્ય ન વ સ્તિ] તોપણ પૃથ્વી ચાંદનીની થતી જ નથી; [ જ્ઞાન ણેય સવા નયતિ] તેવી રીતે જ્ઞાન જ્ઞયને સદો જાણે છે [ણેયમ્ સર્ચ મસ્તિ ન થવું] તોપણ ય જ્ઞાનનું થતું જ નથી. ભાવાર્થ-શુદ્ધનયની દૃષ્ટિથી જોવામાં આવે તો કોઈ દ્રવ્યનો સ્વભાવ કોઈ અન્ય દ્રવ્યરૂપે થતો નથી. જેમ ચાંદની પૃથ્વીને ઉજ્વળ કરે છે પરંતુ પૃથ્વી ચાંદનીની જરા પણ થતી નથી, તેમ જ્ઞાન જ્ઞયને જાણે છે પરંતુ જ્ઞય જ્ઞાનનું જરા પણ થતું નથી. આત્માનો જ્ઞાનસ્વભાવ હોવાથી તેની સ્વચ્છતામાં ગેય સ્વયમેવ ઝળકે છે, પરંતુ જ્ઞાનમાં તે શયોનો પ્રવેશ નથી. ૨૧૬. હવે આગળની ગાથાઓની સૂચનારૂપ કાવ્ય કહે છે શ્લોકાર્થ:- [ તાવત્ ર–ષ–યમ્ ૩યતે] ત્યાં સુધી રાગ-દ્વેષનું હૃદ્ધ ઉદય પામે છે (ઉત્પન્ન થાય છે) [યાવત્ તત્ જ્ઞાનું જ્ઞાન ન મવતિ] કે જ્યાં સુધી આ જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય [પુન: વોટ્યમ્ વધ્યતાં ન યાતિ] અને શેય શેયપણાને ન પામે. [તત રૂવં જ્ઞાન જેવકૃત–31જ્ઞાનમાવું જ્ઞાન ભવતુ] માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ- [ યેન ભાવ–કમાવી તિરયન પૂરવમાવ: ભવતિ ] કે જેથી ભાવઅભાવને (રાગ-દ્વેષને) અટકાવી દેતો પૂર્ણસ્વભાવ ( પ્રગટ) થાય. ભાવાર્થ-જ્યાં સુધી જ્ઞાન જ્ઞાનરૂપ ન થાય, જ્ઞય શેયરૂપ ન થાય, ત્યાં સુધી રાગદ્વેષ ઊપજે છે, માટે આ જ્ઞાન, અજ્ઞાનભાવને દૂર કરીને, જ્ઞાનરૂપ થાઓ, કે જેથી જ્ઞાનમાં જે ભાવ અને અભાવરૂપ બે અવસ્થાઓ થાય છે તે મટી જાય અને જ્ઞાન પૂર્ણસ્વભાવને પામી જાય. એ પ્રાર્થના છે. ર૧૭. Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008302
Book TitleSamaysara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages676
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy