________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર
(રથોદ્ધત્તા) वस्तु चैकमिह नान्यवस्तुनो येन तेन खलु वस्तु वस्तु तत्। निश्चयोऽयमपरोऽपरस्य कः
किं करोति हि बहिर्लुठन्नपि।। २१३ ।।
૫૦૧
[તથાપિ અન્ય-વસ્તુ અપરવસ્તુન: અન્તરમ્ ન વિશતિ] તોપણ અન્ય વસ્તુ અન્ય વસ્તુની અંદર પ્રવેશતી નથી, [ યત: સનમ્ વ વસ્તુ સ્વમાવ-નિયતમ્ ફતે] કારણ કે સમસ્ત વસ્તુઓ પોતપોતાના સ્વભાવમાં નિશ્ચિત છે એમ માનવામાં આવે છે. (આચાર્યદેવ કહે છે કે– ) [ ૪ ] આમ હોવા છતાં, [ મોહિત: ] મોહિત જીવ, [ સ્વભાવવતન–આત: ] પોતાના સ્વભાવથી ચલિત થઈને આકુળ થતો થકો, [વિમ્ વિનશ્યતે ] શા માટે ક્લેશ પામે છે?
ભાવાર્થ:-વસ્તુસ્વભાવ તો નિયમરૂપે એવો છે કે કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ મળે નહિ. આમ હોવા છતાં, આ મોહી પ્રાણી, ‘૫૨શેયો સાથે પોતાને પારમાર્થિક સંબંધ છે’ એમ માનીને, ક્લેશ પામે છે, તે મોટું અજ્ઞાન છે. ૨૧૨.
ફરી આગળની ગાથાઓની સૂચનારૂપે બીજું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [F 7] આ લોકમાં [ચેનપુર્ વસ્તુ અન્યવસ્તુન: ન] એક વસ્તુ અન્ય વસ્તુની નથી, [તેન વસ્તુ વસ્તુ તત્ વસ્તુ] તેથી ખરેખર વસ્તુ છે તે વસ્તુ જ છે- [ અયમ્ નિશ્ચય: ] એ નિશ્ચય છે. [∞: અપર: ] આમ હોવાથી કોઈ અન્ય વસ્તુ [અપરસ્ય વહિ: લુન્ અપિ હિ] અન્ય વસ્તુની બહાર લોટતાં છતાં [હિં રોતિ] તેને શું કરી શકે?
ભાવાર્થ:-વસ્તુનો સ્વભાવ તો એવો છે કે એક વસ્તુ અન્ય વસ્તુને પલટાવી ન શકે. જો એમ ન હોય તો વસ્તુનું વસ્તુપણું જ ન ઠરે. આમ જ્યાં એક વસ્તુ અન્યને પરિણમાવી શક્તી નથી ત્યાં એક વસ્તુએ અન્યને શું કર્યું? કાંઈ ન કર્યું. ચેતન-વસ્તુ સાથે એક્ષેત્રાવગારૂપે પુદ્દગલો રહેલાં છે તોપણ ચેતનને જડ કરીને પોતારૂપે તો પરિણમાવી શક્યાં નહિ; તો પછી પુદ્દગલે ચેતનને શું કર્યું? કાંઈ ન કર્યું.
આ ઉ૫૨થી એમ સમજવું કે-વ્યવહારે ૫૨દ્રવ્યોને અને આત્માને શેયજ્ઞાયક સંબંધ હોવા છતાં ૫૨દ્રવ્યો જ્ઞાયકને કાંઈ કરતાં નથી અને જ્ઞાયક પદ્રવ્યોને કાંઈ કરતો નથી. ૨૧૩.
હવે, એ જ અર્થને દૃઢ કરતું ત્રીજું કાવ્ય કહે છેઃ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com