________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા ]
પૂર્વરંગ
दर्शनज्ञानचारित्रवत्त्वेनास्याशुद्धत्वमिति चेत्
ववहारेणुवदिस्सदि णाणिस्स चरित्त दंसणं णाणं । ण वि णाणं ण चरित्तं ण दंसणं जाणगो सुद्धो ॥ ७ ॥ व्यवहारेणोपदिश्यते ज्ञानिनश्चरित्रं दर्शनं ज्ञानम् ।
नापि ज्ञानं न चरित्रं न दर्शनं ज्ञायकः शुद्धः ।। ७ ।।
સર્વથા અસત્યાર્થ ન માનવો; કારણ કે સ્વાદવાદ પ્રમાણે શુદ્ધતા અને અશુદ્ધતા- બન્ને વસ્તુના ધર્મ છે અને વસ્તુધર્મ છે તે વસ્તુનું સત્ત્વ છે; અશુદ્ધતા ૫દ્રવ્યના સંયોગથી થાય છે એ જ ફેર છે. અશુદ્ધનયને અહીં ય કહ્યો છે કારણ કે અશુદ્ઘનયનો વિષય સંસાર છે અને સંસારમાં આત્મા કલેશ ભોગવે છે; જ્યારે પોતે પરદ્રવ્યથી ભિન્ન થાય ત્યારે સંસાર મટે અને ત્યારે ક્લેશ મટે. એ રીતે દુ:ખ મટાડવાને શુદ્ઘનયનો ઉપદેશ પ્રધાન છે. અશુદ્ઘનયને અસત્યાર્થ કહેવાથી એમ ન સમજવું કે આકાશના ફૂલની જેમ તે વસ્તુધર્મ સર્વથા જ નથી. એમ સર્વથા એકાંત સમજવાથી મિથ્યાત્વ આવે છે; માટે સ્યાદ્વાદનું શરણ લઈ શુદ્ઘનયનું આલંબન કરવું જોઈએ. સ્વરૂપની પ્રાપ્તિ થયા પછી શુદ્ઘનયનું પણ આલંબન નથી રહેતું. જે વસ્તુસ્વરૂપ છે તે છે-એ પ્રમાણદષ્ટિ છે. એનું ફળ વીતરાગતા છે. આ પ્રમાણે નિશ્ચય કરવો યોગ્ય છે.
૧૭
અહીં, (જ્ઞાયકભાવ ) પ્રમત્ત-અપ્રમત્ત નથી એમ કહ્યું છે ત્યાં ‘પ્રમત્ત-અપ્રમત્ત એટલે શું? ગુણસ્થાનની પરિપાટીમાં છઠ્ઠા ગુણસ્થાન સુધી તો પ્રમત્ત કહેવાય છે અને સાતમાથી માંડીને અપ્રમત્ત કહેવાય છે. પરંતુ એ સર્વ ગુણસ્થાનો અશુદ્ઘનયની કથનીમાં છે; શુદ્ધનયથી આત્મા જ્ઞાયક જ છે.
હવે પ્રશ્ન થાય છે કે દર્શન, જ્ઞાન, ચારિત્ર-એ આત્માના ધર્મ કહેવામાં આવ્યા છે, તો એ તો ત્રણ ભેદ થયા, એ ભેદરૂપ ભાવોથી આત્માને અશુદ્ધપણું આવે છે! આ પ્રશ્નના ઉત્તરરૂપ ગાથાસૂત્ર કહે છેઃ
ચારિત્ર, દર્શન, જ્ઞાન પણ વ્યવહા૨-કથને જ્ઞાનીને; ચારિત્ર નહિ, દર્શન નહીં, નહિ જ્ઞાન, જ્ઞાયક શુદ્ધ છે. ૭.
ગાથાર્થ:- [ જ્ઞાનિન: ] જ્ઞાનીને [ ચરિત્ર વર્શન જ્ઞાનમ્] ચારિત્ર, દર્શન, જ્ઞાન
એ ત્રણ ભાવ [વ્યવહારેળ] વ્યવહારથી [પવિયતે] કહેવામાં આવે છે; નિશ્ચયથી [જ્ઞાનં અપિ ન] જ્ઞાન પણ નથી, [ ચરિત્ર ન] ચારિત્ર પણ નથી અને [વર્શનં ન] દર્શન પણ નથી; જ્ઞાની તો એક [ જ્ઞાય: શુદ્ધ: ] શુદ્ધ જ્ઞાયક જ છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com