________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
કહાનજૈનશાસ્ત્રમાળા]
સંવર અધિકાર
૨૯૧
एवं जानाति ज्ञानी अज्ञानी मनुते रागमेवात्मानम्। अज्ञानतमोऽवच्छन्नः आत्मस्वभावमजानन्।। १८५ ।।
यतो यस्यैव यथोदितं भेदविज्ञानमस्ति स एव तत्सद्भावात् ज्ञानी सन्नेवं जानाति-यथा प्रचण्डपावकप्रतप्तमपि सुवर्णं न सुवर्णत्वमपोहति तथा प्रचण्डकर्मविपाकोपष्टब्धमपि ज्ञानं न ज्ञानत्वमपोहति, कारणसहस्रेणापि स्वभावस्यापोढुमशक्यत्वात; तदपोहे तन्मात्रस्य वस्तुन एवोच्छेदात; न चास्ति वस्तूच्छेदः, सतो नाशासम्भवात्। एवं जानंश्च कर्माक्रान्तोऽपि न रज्यते, न द्वेष्टि, न मुह्यति, किन्तु शुद्धमात्मानमेवोपलभते। यस्य तु यथोदितं भेदविज्ञानं नास्ति स तदभावादज्ञानी सन्नज्ञानतमसाच्छन्नतया चैतन्यचमत्कारमात्रमात्मस्वभावमजानन् रागमेवात्मानं मन्यमानो रज्यते द्वेष्टि मुह्यति च, न जातु शुद्धमात्मानमुपलभते। ततो भेदविज्ञानादेव शुद्धात्मोपलम्भः।
ગાથાર્થ:- [યથા] જેમ [નમ્] સુવર્ણ [નિતપ્તમ્ પિ] અગ્નિથી તત થયું થયું પણ [ā] તેના [ નમવં] સુવર્ણપણાને [૨ પરિત્યાતિ] છોડતું નથી [ તથા] તેમ [જ્ઞાની] જ્ઞાની [ વયેતH: 1] કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ [જ્ઞાનિત્વમ] જ્ઞાનીપણાને [ન નEાતિ] છોડતો નથી.- [vā] આવું [જ્ઞાન] જ્ઞાની [નાનાતિ] જાણે છે, અને [અજ્ઞાની ] અજ્ઞાની [ અજ્ઞાનતમોગવચ્છન્ન:] અજ્ઞાનઅંધકારથી આચ્છાદિત હોવાથી [ મીત્મસ્વભાવ ] આત્માના સ્વભાવને [બનીનન] નહિ જાણતો થકો [૨]” a] રાગને જ [ ગાત્માન] આત્મા [મનુd] માને છે.
ટીકાઃ-જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન છે તે જ તેના (ભેદવિજ્ઞાનના) સદ્દભાવથી જ્ઞાની થયો થકો આ પ્રમાણે જાણે છે:-જેમ પ્રચંડ અગ્નિ વડે તપ્ત થયું થયું પણ સુવર્ણ સુવર્ણત્વ છોડતું નથી તેમ પ્રચંડ કર્મોદય વડે ઘેરાયું થયું પણ (અર્થાત્ વિના કરવામાં આવતાં છતાં પણ) જ્ઞાન જ્ઞાનત્વ છોડતું નથી, કેમ કે હજાર કારણો ભેગાં થવા છતાં સ્વભાવને છોડવો અશક્ય છે; કારણ કે તેને છોડતાં સ્વભાવમાત્ર વસ્તુનો જ ઉચ્છેદ થાય, અને વસ્તુનો ઉચ્છેદ તો થતો નથી કારણ કે સના નાશનો અસંભવ છે. આવું જાણતો થકો જ્ઞાની કર્મથી આક્રાંત (ઘેરાયેલો, આક્રમણ પામેલો) હોવા છતાં પણ રાગી થતો નથી, હેપી થતો નથી, મોહી થતો નથી, પરંતુ શુદ્ધ આત્માને જ અનુભવે છે. અને જેને ઉપર કહ્યું તેવું ભેદવિજ્ઞાન નથી તે તેના અભાવથી અજ્ઞાની થયો થકો, અજ્ઞાનઅંધકાર વડે આચ્છાદિત હોવાથી ચૈતન્યચમત્કારમાત્ર આત્મસ્વભાવને નહિ જાણતો થકો, રાગને જ આત્મા માનતો થકો, રાગી થાય છે, હૃષી થાય છે, મોહી થાય છે, પરંતુ શુદ્ધ આત્માને બિલકુલ અનુભવતો નથી. માટે એમ સિદ્ધ થયું કે ભેદવિજ્ઞાન થી જ શુદ્ધ આત્માની ઉપલબ્ધિ (અનુભવ) થાય છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com