________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
નમ: સિદ્ધભ્ય:
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ સમયપ્રાભૃતમાં કહે છે કે, હું જે આ ભાવ કહેવા માગું છું. તે અંતરના આત્મસાક્ષીના પ્રમાણ વડે પ્રમાણ કરજો; કારણ કે આ અનુભવપ્રધાન શાસ્ત્ર છે. તેમાં મારા વર્તતા સ્વ-આત્મવૈભવ વડે કહેવાય છે. આમ કહીને છઠ્ઠી ગાથા શરૂ કરતાં આચાર્યભગવાન કહે છે કે, “ આત્મદ્રવ્ય અપ્રમત્ત નથી અને પ્રમત્ત નથી એટલે કે એ બે અવસ્થાનો નિષેધ કરતો હું એક જાણનાર અખંડ છું એ મારી વર્તમાન વર્તતી દશાથી કહું છું.' મુનિપણાની દશા અપ્રમત્ત અને પ્રમત્ત એ બે ભૂમિકામાં હજારો વાર આવ-જા કરે છે, તે ભૂમિકામાં વર્તતા મહામુનિનું આ કથન છે.
સમયપ્રાભૂત એટલે સમયસારરૂપી ભટણું. જેમ રાજાને મળવા ભટણું આપવું પડે છે તેમ પોતાની પરમ ઉત્કૃષ્ટ આત્મદશાસ્વરૂપ પરમાત્મદશા પ્રગટ કરવા સમયસાર જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારીત્રસ્વરૂપ આત્મા તેની પરિણતિરૂપ ભટણું આપ્યું પરમાત્મદશા-સિદ્ધદશા-પ્રગટ થાય છે.
આ શબ્દબ્રહ્મરૂપ પરમાગમથી દર્શાવેલા એકત્વવિભક્ત આત્માને પ્રમાણ કરજો, હા જ પાડજો, કલ્પના કરશો નહિ. આનું બહુમાન કરનાર પણ મહાભાગ્યશાળી છે.
(પોતાના જ હસ્તાક્ષરમાં) સદ્ગુરુદેવના હૃદયોગાર
Please inform us of any errors on rajesh@AtmaDharma.com