________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
સમયસાર
ભગવાન શ્રીકુંદકુંદ
विकल्पमात्मनो मनागपि न करोति; ततः समस्तमपि कर्तृत्वमपास्यति; ततो नित्यमेवोदासीनावस्थी जानन् एवास्ते; ततो निर्विकल्पोऽकृतक एको विज्ञानघनो भूतोऽत्यन्तमकर्ता प्रतिभाति।
(વસંતતિના ) अज्ञानतस्तु सतृणाभ्यवहारकारी ज्ञानं स्वयं किल भवन्नपि रज्यते यः। पीत्वा दधोक्षुमधुराम्लरसातिगृङ्ख्या गां दोग्धि दुग्धमिव नूनमसौ रसालम्।। ५७ ।।
જાણતો થકો “હું ક્રોધ છું' ઇત્યાદિ આત્મવિકલ્પ જરા પણ કરતો નથી, તેથી સમસ્ત કર્તૃત્વને છોડી દે છે; તેથી સદાય ઉદાસીન અવસ્થાવાળો થયો થકો માત્ર જાણ્યા જ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે.
ભાવાર્થ-જે પરદ્રવ્યના અને પરદ્રવ્યના ભાવોના કર્તુત્વને અજ્ઞાન જાણે તે પોતે કર્તા શા માટે બને? અજ્ઞાની રહેવું હોય તો પરદ્રવ્યનો કર્તા બને! માટે જ્ઞાન થયા પછી પરદ્રવ્યનું કર્તાપણું રહેતું નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે -
શ્લોકાર્થ:- [ 7િ] નિશ્ચયથી [સ્વયં જ્ઞાનં ભવન ]િ સ્વયં જ્ઞાનસ્વરૂપ હોવા છતાં [ અજ્ઞાનત: તુ] અજ્ઞાનને લીધે [૧] જે જીવ, [ સંતૃષ્યિવહા૨વારી] ઘાસ સાથે ભેળસેળ સુંદર આહારને ખાનારા હાથી આદિ તિર્યંચની માફક, [૨ષ્યતે] રાગ કરે છે (અર્થાત રાગનો અને પોતાનો ભેળસેળ સ્વાદ લે છે) [ ] તે, [ ધીમુમધુરીમ્નરસાતિ ક્ય] દહીં-ખાંડના અર્થાત્ શિખંડના ખાટા-મીઠા રસની અતિ લોલુપતાથી [રસોતમ ] શિખંડને પીતાં છતાં [ T૩૫ વોધિ રૂવ નૂનમ્] પોતે ગાયના દૂધને પીએ છે એવું માનનાર પુરુષના જેવો છે.
ભાવાર્થ-જેમ હાથીને ઘાસના અને સુંદર આહારના ભિન્ન સ્વાદનું ભાન નથી તેમ અજ્ઞાનીને પુદ્ગલકર્મના અને પોતાના ભિન્ન સ્વાદનું ભાન નથી; તેથી તે એકાકારપણે રાગાદિમાં વર્તે છે. જેમ શિખંડનો ગૃદ્ધી માણસ, સ્વાદભેદ નહિ પારખતાં, શિખંડના સ્વાદને માત્ર દૂધનો સ્વાદ જાણે તેમ અજ્ઞાની જીવ સ્વ-પરનો ભેળસેળ સ્વાદને પોતાનો સ્વાદ જાણે છે. ૫૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com