________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
સમયસાર
ભગવાનશ્રીકુંદકુંદ
ज्ञात्वा आस्रवाणामशुचित्वं च विपरीतभावं च। दुःखस्य कारणानीति च ततो निवृतिं करोति जीवः।। ७२ ।।
जले जम्बालवत्कलुषत्वेनोपलभ्यमानत्वादशुचय: खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेवातिनिर्मलचिन्मात्रत्वेनोपलम्भकत्वादत्यन्तं शुचिरेव। जडस्वभावत्वे सति परचेत्यत्वादन्यस्वभावाः खल्वास्रवाः, भगवानात्मा तु नित्यमेव विज्ञानघनस्वभावत्वे सति स्वयं चेतकत्वादनन्यस्वभाव एव। आकुलत्वोत्पादकत्वाद्दुःखस्य कारणानि ઉત્પાવાદ,
भगवानात्मा नित्यमेवानाकुलत्वस्वभावेनाकार्यकारणत्वाद्दुःखस्याकारणमेव। इत्येवं विशेषदर्शनेन यदैवायमात्मात्मास्रवयोर्भेदं जानाति तदैव क्रोधादिभ्य आस्रवेभ्यो निवर्तते, तेभ्योऽनिवर्तमानस्य पारमार्थिकतनेदज्ञानासिद्धेः।
ततः क्रोधाद्यास्रवनिवृत्त्यविनाभाविनो ज्ञानमात्रादेवाज्ञानजस्य पौद्गलिकस्य कर्मणो बन्ध
ગાથાર્થઃ- [ વાણીઆસ્રવોનું [શુવિë ] અશુચિપણું અને [ વિપરીતમાä ] વિપરીતપણું [] તથા [ટુ:ચ રિપનિ તિ] તેઓ દુઃખના કારણ છે એમ [જ્ઞાત્વા] જાણીને [નીવડ] જીવ [ તત: નિવૃત્તિ] તેમનાથી નિવૃત્તિ [ રોતિ] કરે છે.
ટીકાઃ-જળમાં શેવાળ છે તે મળ છે-મેલ છે તે શેવાળની માફક આગ્નવો મળપણેમેલપણે અનુભવાતા હોવાથી અશુચિ છે (–અપવિત્ર છે); અને ભગવાન આત્મા તો સદાય અતિનિર્મળ ચૈતન્યમાત્ર સ્વભાવપણે જ્ઞાયક હોવાથી અત્યંત શુચિ જ છે (–પવિત્ર જ છે; ઉજ્વળ જ છે). આગ્નવોને જડસ્વભાવપણું હોવાથી તેઓ બીજા વડે જણાવાયોગ્ય છે (-કારણ કે જે જડ હોય તે પોતાને તથા પરને જાણતું નથી, તેને બીજા જ જાણે છે-) માટે તેઓ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળા છે; અને ભગવાન આત્મા તો, પોતાને સદાય વિજ્ઞાનઘનસ્વભાવપણું હોવાથી, પોતે જ ચેતક (જ્ઞાતા) છે (–પોતાને અને પરને જાણે છે-) માટે ચૈતન્યથી અનન્ય સ્વભાવવાળો જ છે (અર્થાત્ ચૈતન્યથી અન્ય સ્વભાવવાળો નથી). આસ્રવો આકુળતાના ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણો છે; અને ભગવાન આત્મા તો, સદાય નિરાકુળતા-સ્વભાવને લીધે કોઈનું કાર્ય તેમ જ કોઈનું કારણ નહિ હોવાથી, દુ:ખનું અકારણ જ છે (અર્થાત્ દુઃખનું કારણ નથી). આ પ્રમાણે વિશેષ (-તફાવત) દેખીને જ્યારે આ આત્મા, આત્મા અને આસ્રવોનો ભેદ જાણે છે તે જ વખતે ક્રોધાદિ આસ્રવોથી નિવૃત્ત થાય છે, કારણ કે તેમનાથી જે નિવર્તિતો ન હોય તેને આત્મા અને આસ્રવોના પારમાર્થિક (સાચા) ભેદજ્ઞાનની સિદ્ધિ જ થઈ નથી. માટે ક્રોધાદિક આસ્રવોથી નિવૃત્તિ સાથે જે અવિનાભાવી છે એવા જ્ઞાનમાત્રથી જ, અજ્ઞાનથી થતો જે પૌગલિક કર્મનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com