________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ
निरस्तेतरेतराश्रयदोषः कर्तृकर्मप्रवृत्तिनिमित्तस्याज्ञानस्य निमित्तम्।
कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव। णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से।। ७१ ।।
यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव।
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य।। ७१ ।। इह किल स्वभावमा ‘वस्तु, स्वस्य भवनं तु स्वभावः। तेन ज्ञानस्य भवनं
જેમાંથી ઇતરેતરાશ્રય દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.
ભાવાર્થ-આ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર-આશ્રય દોષ પણ આવતો નથી.
આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.
હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે
આ જીવ જ્યારે આસવોનું તેમ નિજ આત્મા તણું, જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.
ગાથાર્થઃ- [ યા] જ્યારે [ સનેન નીવેન] આ જીવ [માત્મ: ] આત્માના [ તથા વ ૨] અને [સામ્રવીણ ] આસવોના [વિશેષાન્તરં] તફાવત અને ભેદને [ જ્ઞાતિ મવતિ] જાણે [ત તુ] ત્યારે [તચ] તેને [વન્ય: ન] બંધ થતો નથી.
ટીકાઃ-આ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને “સ્વ”નું ભવન તે સ્વ-ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવું-પરિણમવું તે સ્વભાવ છે ); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું-પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિકનું થવું-પરિણમવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com