________________
Version 002: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮
સમયસાર
[ભગવાનશ્રીકુંદકુંદ
अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः। तस्मात्संसारस्था जीवा रूपित्वमापन्नाः।। ६३ ।। एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते। निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः।। ६४ ।।
यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो रूपित्वमवश्यमवाप्नोति। रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्रव्यस्य लक्षणमस्ति। ततो रूपित्वेन लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति। रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति। एवं पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि। तथा च सति, मोक्षावस्थायामपि नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि। तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव
ગાથાર્થઃ- [18] અથવા જો [ તવ] તારો મત એમ હોય કે [સંસારરસ્થાના પીવાનાં] સંસારમાં સ્થિત જીવોને જ [ વય:] વર્ણાદિક (તાદાભ્યસ્વરૂપે) [ ભવન્તિ ] છે, [તસ્નાત્] તો તે કારણે [ સંસારથ: નીવા:] સંસારમાં સ્થિત જીવો [ પિત્વમ્ બાપન્ના:] રૂપીપણાને પામ્યા; [4] એમ થતાં, [તથાનક્ષન] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો ) પુદ્ગલદ્રવ્યનું હોવાથી, [મૂઢમતે ] હે મૂઢબુદ્ધિ ! [પુનદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય તે જ [ નીવ:] જીવ ઠર્યું [૨] અને (માત્ર સંસારઅવસ્થામાં જ નહિ પણ) [નિર્વાણન્ ૩૫+ાત: 3] નિર્વાણ પામ્ય પણ [પુન: ] પુદ્ગલ જ [ નીવર્વ ] જીવપણાને [પ્રાપ્ત:] પામ્યું !
ટીકા:-વળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાભ્યસંબંધ છે એવો જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે; અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે રૂપીપણા (લક્ષણ) થી લક્ષિત (લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (ઠરે) છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (અર્થાત્ સંસારઅવસ્થામાં જ જીવનું વર્ણાદિ સાથે તાદાભ્ય માનનારના મતમાં પણ ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com