SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates રત્નકરણ્ડક શ્રાવકાચાર [ભગવાનશ્રીકુંદકુંદशीलसन्विता मां भुनक्तु । तथा सा मां सम्पुनीतात् सकलदोषकलङ्कं निराकृत्य पवित्रयतु। किमिव ? कुलमिव गुणभूषा कन्यका। अयमर्थः-कुलं यथा गुणभूषा गुणाऽलङ्कारोपेता कन्या पवित्रयति श्लाध्यतां नयति तथा दृष्टिलक्ष्मीरपि गुणभूषा अष्टमूल गुणैरलंकृता मां सम्यक्पुनीतादिति ।। १५० ।। येनाज्ञानतमो विनाश्य' निखिलं भव्यात्मचेतोगतम् सम्यग्ज्ञानमहांशुभिः प्रकटितः सागारमार्गोऽखिलः । स श्रीरत्नकरण्डकामलरविः संसृत्सरिच्छोषको जीयादेष समन्तभद्रमुनिपः श्रीमान् प्रमेन्दुर्जिनः।।१।। ૩૨૬ રક્ષા કરે છે, કિન્તુ અશુદ્ધ શીલવતી માતા (દુશ્ચારિણી માતા) નહિ; તેમ ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપી અર્થાત્ નિરતિચાર સાત શીલથી યુક્ત સમ્યગ્દર્શન-લક્ષ્મી પણ મારી રક્ષા કરે, તથા ‘સા માં સંપુનીત્તાત્’તે મને પવિત્ર કરે-સર્વ દોષરૂપ લંકને દૂર કરી મને પવિત્ર કરે. કોની જેમ ? ઝુલમ્ વ મુળભૂષા ન્યા' જેમ ગુણવતી કન્યા કુળને (પવિત્ર ) કરે છે તેમ. અર્થ એ છે કે-જેમ ગુણરૂપી અલંકારોથી યુક્ત ગુણવતી કન્યા કુળને પવિત્ર કરે છે-પ્રશંસાપાત્ર કરે છે, તેમ અષ્ટ મૂળગુણરૂપી અલંકારોથી ગુણવતી સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી પણ મને સમ્યક્ પ્રકારે પવિત્ર કરે. ભાવાર્થ :- જેમ કોઈ કામિની (સ્ત્રી ) પોતાના કામીને સુખી કરે છે તેમ સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને સુખી કરે; જેમ કોઈ શીલવતી માતા પોતાના પુત્રનું લાલનપાલન કરે છે તેમ સપ્તશીલોથી યુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મારી રક્ષા કરે અને જેમ ગુણવતી કન્યા કુળને ઉજ્જવળ કરે છે (પવિત્ર કરે છે) તેમ અષ્ટ મૂળગુણયુક્ત સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી મને પવિત્ર કરે. ટીકાકારની મંગળકામના જેમણે ભવ્ય આત્માના ચિત્તમાં વ્યાસ સમસ્ત અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરીને, સમ્યજ્ઞાનરૂપી સૂર્યનાં મહા કિરણો દ્વારા સઘળો શ્રાવકમાર્ગ પ્રકાશિત કર્યો છે, તેઓ સંસારરૂપી નદીના શોષક શ્રી રત્નકરણ્ડકરૂપી તેજસ્વી સૂર્ય સમાન અને ચંદ્રની ક્રાંતિવાળા [પ્રમેન્દ્વ: ] શ્રીમાન્ જિન સમન્તભદ્રાચાર્ય જય પામો. ૬. નિરક્ષ્ય કૃતિ ૬ । Please inform us of any errors on rajesh@AtmaDharma.com
SR No.008299
Book TitleRatnakarandak Shravakachar
Original Sutra AuthorSamantbhadracharya
AuthorChotalal Gulabchand Gandhi
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy