________________
Version 001: remember fo check hffp://www.AtmaDharma.com for updates
૧
મતાર્થી-લક્ષણ
બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪
જે જિનદેહપ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ: વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫
પ્રત્યક્ષ સદ્દગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દૃઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬
દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મતવેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭
લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, ગ્રહ્યં વ્રત-અભિમાન; ગ્રહે નહીં ૫૨માર્થને, લેવા લૌકિક માન. ૨૮
અથવા નિશ્ચય નય ગ્રહે, માત્ર શબ્દની માંય; લોપે સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ જે, તે બૂડે ભવમાંહી. ૩૦
એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પ૨માર્થને, અન-અધિકારીમાં જ. ૩૧
Please inform us of any errors on rajesh@AtmaDharma.com