________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫.
(૩૫) સદ્દગુરુના ઉપદેશથી સમજે જિનનું રૂપ; તો તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. ૧
પામ્યા શુદ્ધ સ્વભાવને, છે જિન તેથી પૂજ્ય; સમજો જિનસ્વભાવ તો, આત્મભાનનો ગુંજ્ય. ૨
સ્વરૂપસ્થિત ઇચ્છારહિત, વિચરે પૂર્વપ્રયોગ; અપૂર્વ વાણી, પરમશ્રત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૩
નડિયાદ, આસો વદ ૨, ૧૯પર
(૩૬)
શ્રી જિનપરમાત્મને નમઃ ૧ ઇચ્છે છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ;
મૂળ શુદ્ધ તે આત્મપદ, યોગી જિનસ્વરૂપ. ૧
આત્મસ્વભાવ અગમ્ય, તે અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયો, તેહ સ્વરૂપ પ્રકાર. ૨
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com