________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧
મૂળ પરમપદ કારણ, સમ્યક્દર્શન જ્ઞાન ચરણ પૂર્ણ; પ્રણમે એક સ્વભાવે, શુદ્ધ સમાધિ ત્યાં પરિપૂર્ણ. ૨
જે ચેતન જડ ભાવો, અવલોકયા છે મુનદ્ર સર્વજ્ઞ, તેવી અંતર આસ્થા, પ્રગટયે દર્શન કહ્યું છે તત્ત્વ. ૩
સમ્યક પ્રમાણ પૂર્વક, તે તે ભાવો જ્ઞાન વિષે ભાસે; સમ્યમ્ જ્ઞાન કહ્યું તે, સંશય, વિભ્રમ, મોહ ત્યાં નાશ્ય. ૪
વિયારંભનિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ જ્યાં થાય; સહિત સમ્યકદર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ૫
ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વરૂપ જ્યાં થાય; પૂર્ણ પરમપદપ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય. ૬
જીવ, અજીવ પદાર્થો, પુણ્ય પાપ, આસ્રવ તથા બંધ; સંવર, નિર્જરા, મોક્ષ, તત્ત્વ કહ્યાં નવ પદાર્થ સંબંધ. ૭
જીવ, અજીવ વિષે તે, નવ તત્ત્વનો સમાવેશ થાય; વસ્તુ વિચાર વિશેષ, ભિન્ન પ્રબોધ્યા મહાન મુનિરાય. ૮
વવાણિયા, કાર્તિક, ૧૯૫૩
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com