________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫ (ર૬)
(દોહરા) હે પ્રભુ! હે પ્રભુ! શું કહું, દીનાનાથ દયાળ; હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ. ૧ શુદ્ધ ભાવ મુજમાં નથી, નથી સર્વ તુજ રૂપ; નથી લઘુતા કે દીનતા, શું કહું પરમસ્વરૂપ? ૨
નથી આજ્ઞા ગુરુદેવની, અચળ કરી ઉરમાંહિ; આપણો વિશ્વાસ દૃઢ, ને પરમાદર નાહિ. ૩
જોગ નથી સત્સંગનો, નથી સત્સવા જોગ; કેવળ અર્પણતા નથી, નથી આશ્રય અનુયોગ. ૪
હું પામર શું કરી શકું ?' એવો નથી વિવેક, ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છેક. ૫
અચિંત્ય તુજ માહાભ્યનો, નથી પ્રફુલ્લિત ભાવ; અંશ ન એકે સ્નેહનો, ન મળે પરમ પ્રભાવ. ૬ અચળરૂપ આસક્તિ નહિ, નહીં વિરહનો તાપ; કથા અલભ્ય તુજ પ્રેમની, નહિ તેનો પરિતાપ. ૭
ભક્તિમાર્ગ પ્રવેશ નહિ, નહીં ભજન વૃઢ ભાન; સમજ નહીં નિજધર્મની, નહિ શુભ દેશે સ્થાન. ૮
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com