________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦
એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિકજ્ઞાનનાં, સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો “તેહુ' જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારો ! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ ઘો, આ વચનને હૃદયે લખો. ૫
વિ. સં. ૧૯૪૧
(૧૫) જિનેશ્વરની વાણી
(મનહર છંદ) અનંત અનંત ભાવ ભેદથી ભરેલી ભલી, અનંત અનંત ન નિક્ષેપે વ્યાખ્યાની છે; સકળ જગત હિતકારિણી, હારિણી મોહ, તારિણી ભવાબ્ધિ મોક્ષચારિણી પ્રમાણી છે; ઉપમા આપ્યાની જેને તમાં રાખવી તે વ્યર્થ, આપવાથી નિજ મતિ મપાઈ મેં માની છે;
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com