________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અર્પણ
જેમણે આ પામર પર અપાર ઉપકાર કર્યો છે, જેમની પ્રેરણાથી પ્રવચનસારનો આ અનુવાદ તૈયાર થયો છે, જેઓ જિનપ્રવચનના પરમ ભક્ત અને મર્મજ્ઞ છે, જેઓ જિનપ્રવચનના હાર્દને અનુભવી નિજ કલ્યાણ સાધી રહ્યા છે અને ભારતવર્ષના ભવ્ય જીવોને કલ્યાણપંથે દોરી રહ્યા છે, જેઓ જિનપ્રવચનના સારરૂપ ભેદવિજ્ઞાનના અને શુદ્ધાત્મપ્રવૃત્તિના આ કાળે આ ક્ષેત્રે સર્વોત્કૃષ્ટ પ્રભાવક છે, તે પરમપૂજ્ય પરમોપકારી સદ્દગુરુદેવ (શ્રી કાનજીસ્વામી)ને આ અનુવાદ-પુષ્પ અત્યંત ભક્તિભાવે અર્પણ કરું છું.
-અનુવાદક
Please inform us of any errors on rajesh@AtmaDharma.com