________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
પંચાસ્તિકાયસંગ્રહ
[ ભગવાન શ્રીકુંદકુંદ
द्रव्यकर्मणां निमित्तमात्रत्वेनौदयिकादिभावकर्तृत्वमत्रोक्तम्।।
न खलु कर्मणा विना जीवस्योदयोपशमौ क्षयक्षायोपशमावपि विद्येते; ततः क्षायिकक्षायोपशमिकश्चौदयिकौपशमिकश्च भावः कर्मकृतोऽनुमंतव्यः। पारिणामिकस्त्वनादिनिधनो निरुपाधिः स्वाभाविक एव। क्षायिकस्तु स्वभावव्यक्तिरूपत्वादनंतोऽपि कर्मणः क्षयेणोत्पद्य-मानत्वात्सादिरिति कर्मकृत एवोक्तः। औपशमिकस्तु कर्मणामुपशमे समुत्पद्यमानत्वादनुपशमे समुच्छिद्यमानत्वात् कर्मकृत एवेति।
अथवा उदयोपशमक्षयक्षयोपशमलक्षणाश्चतस्रो द्रव्यकर्मणामेवावस्थाः, न पुनः परिणाम-लक्षणैकावस्थस्य जीवस्य; तत उदयादिसंजातानामात्मनो भावानां निमित्त
ટીકા:- અહીં, (ઔદયિકાદિ ભાવોનાં) નિમિત્ત માત્ર તરીકે દ્રવ્યકર્મોને ઔદયિકાદિ ભાવોનું કર્તાપણું કહ્યું છે.
(એક રીતે વ્યાખ્યા કરતાં-) કર્મ વિના જીવને ઉદય-ઉપશમ તેમ જ ક્ષય-ક્ષયોપશમ હોતા નથી (અર્થાત્ દ્રવ્યકર્મ વિના જીવને ઔદયિકાદિ ચાર ભાવો હોતા નથી); તેથી ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક કે ઔપથમિક ભાવ કર્મકૃત સંમત કરવો. પરિણામિક ભાવ તો અનાદિ-અનંત, નિરુપાધિ, સ્વાભાવિક જ છે. (ઔદયિક અને ક્ષાયોપથમિક ભાવો કર્મ વિના હોતા નથી અને તેથી કર્મકૃત કહી શકાય-એ વાત તો સ્પષ્ટ સમજાય એવી છે; ક્ષાયિક અને ઔપથમિક ભાવોની બાબતમાં નીચે પ્રમાણે સ્પષ્ટતા કરવામાં આવે છે ) ક્ષાયિક ભાવ, જોકે સ્વભાવની વ્યક્તિરૂપ (-પ્રગટતારૂપ) હોવાથી અનંત (-અંત વિનાનો) છે તોપણ, કર્મના ક્ષય વડે ઉત્પન્ન થતો હોવાને લીધે સાદિ છે તેથી કર્મકૃત જ કહેવામાં આવ્યો છે. ઔપશમિક ભાવ કર્મના ઉપશમે ઉત્પન્ન થતો હોવાથી અને અનુપશમે નષ્ટ થતો હોવાથી કર્મકૃત જ છે. (આમ ઔદયિકાદિ ચાર ભાવો કર્મકૃત સંમત કરવા.)
અથવા (બીજી રીતે વ્યાખ્યા કરતાં)-ઉદય, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમસ્વરૂપ ચાર (અવસ્થાઓ) દ્રવ્યકર્મની જ અવસ્થાઓ છે, પરિણામસ્વરૂપ એક અવસ્થાવાળા જીવની નહિ ( અર્થાત્ ઉદય વગેરે અવસ્થાઓ દ્રવ્યકર્મની જ છે, પરિણામ” જેનું સ્વરૂપ છે એવી એક અવસ્થાએ અવસ્થિત જીવની-પરિણામિક ભાવરૂપે રહેલા જીવની-તે ચાર અવસ્થાઓ નથી ); તેથી ઉદયાદિક વડે ઉત્પન્ન થતા
* નિરુપાધિ = ઉપાધિ વિનાનો; ઔપાધિક ન હોય એવો. (જીવનો પારિણામિક ભાવ સર્વ
કર્મોપાધિથી નિરપેક્ષ હોવાને લીધે નિરુપાધિ છે.)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com