SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates કહાનજૈનશાસ્ત્રમાળા ] वद्व्यापि १६। विशेषनयेन तदेकमुक्ताफलवदव्यापि १७ । नित्यनयेन नटवदवस्थायि १८ । अनित्यनयेन रामरावणवदनवस्थायि १९ । सर्वगतनयेन विस्फारिताक्षचक्षुर्वत्सर्ववर्ति २०। असर्वगतनयेन मीलिताक्षचक्षुर्वदात्मवर्ति २१ । शून्यनयेन शून्यागारवत्केवलोद्भासि २२ । अशून्यनयेन लोकाक्रान्तनौवन्मिलितोद्भासि २३ । ज्ञानज्ञेयाद्वतनयेन महदिन्धनभारपरिणत- धूमकेतुवदेक्म् २४ । ज्ञानज्ञेयद्वैतनयेन परप्रतिबिम्बसम्पृक्तदर्पणवदनेकम् नियतिनयेन ૨૬૫ नियमितौष्ण्यवह्निवन्नियतस्वभावभासि २६ । अनियतिनयेन नियत्यनियमितौष्ण्यपानीय પરિશિષ્ટ ૪૯૭ मेचकस्वभावविवक्षितैकधर्मव्यापकत्वादेकस्वभावं भवति । तदेव जीवद्रव्यं प्रमाणेन प्रमीयमाणं मेचकस्वभावानामनेकधर्माणां युगपद्व्यापकत्वाश्चित्रपटवदनेकस्वभावं भवति । एवं नयप्रमाणाभ्यां तत्त्वविचारकाले योऽसौ આત્મદ્રવ્ય વિશેષનયે, તેના એક મોતીની માફક, અવ્યાપક છે (અર્થાત્ આત્મા વિશેષનયે અવ્યાપક છે, જેમ પૂર્વોક્ત માળાનું એક મોતી આખી માળમાં અવ્યાપક છે તેમ ). ૧૭. આત્મદ્રવ્ય નિત્યનયે, નટની માફક, અવસ્થાયી છે (અર્થાત્ આત્મા નિત્યનયે નિત્ય-ટકાનારો છે, જેમ રામ-રાવણરૂપ અનેક અનિત્ય સ્વાંગ ધરતો હોવા છતાં પણ નટ તેનો તે જ નિત્ય છે તેમ ). ૧૮. આત્મદ્રવ્ય અનિત્યનયે, રામ-રાવણની માફક, અનવસ્થાયી છે (અર્થાત્ આત્મા અનિત્યનયે અનિત્ય છે, જેમ નટે ધારણ કરેલા રામ-રાવણરૂપ સ્વાંગ અનિત્ય છે તેમ ). ૧૯. આત્મદ્રવ્ય સર્વગતનયે, ખુલ્લી રાખેલી આંખની માફક, સર્વવર્તી (બધામાં વ્યાપનારું) છે. ૨૦. આત્મદ્રવ્ય અસર્વગતનયે, મીંચેલી આંખની માફક, આત્મવર્તી (પોતામાં રહેનારું) છે. ૨૧. આત્મદ્રવ્ય શૂન્યનયે, શૂન્ય (ખાલી) ઘરની માફક, એકલું (અમિલિત ) ભાસે છે. ૨૨. આત્મદ્રવ્ય અશૂન્યનયે, લોકોથી ભરેલા વહાણની માફક, મિલિત ભાસે છે. ૨૩. આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેય-અદ્વૈતનયે ( જ્ઞાન અને જ્ઞેયના અદ્વૈતરૂપ નયે ), મોટા ઇંધનસમૂહરૂપે પરિણત અગ્નિની માફક, એક છે. ૨૪. આત્મદ્રવ્ય જ્ઞાનજ્ઞેયદ્વૈતનયે, પરનાં પ્રતિબિંબોથી સંપૃક્ત દર્પણની માફક, અનેક છે (અર્થાત્ આત્મા જ્ઞાન અને જ્ઞેયના દ્વૈતરૂપ નયે અનેક છે, જેમ ૫૨-પ્રતિબિંબોના સંગવાળો અરીસો અનેકરૂપ છે તેમ ). ૨૫. આત્મદ્રવ્ય નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેને ઉષ્ણતા નિયમિત (નિયત) હોય છે એવા અગ્નિની માફક . [આત્મા નિયતિનયે નિયતસ્વભાવવાળો ભાસે છે, જેમ અગ્નિને ઉષ્ણતાનો નિયમ હોવાથી અગ્નિ નિયતસ્વભાવવાળો ભાસે છે તેમ.] ૨૬. Please inform us of any errors on [email protected]
SR No.008294
Book TitlePravachana sara
Original Sutra AuthorKundkundacharya
AuthorHimmatlal Jethalal Shah
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year1980
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy